નલવાડી (આસામ) તા.17
વડાપ્રધાન મોદી આજે આસામમાં નલવાડીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના લેપટોપ પર રામલલ્લાના લલાટે સૂર્યતિલક નિહાળીને ભાવવિભોર બન્યા હતા. વડાપ્રધાને પોતાના જૂતા ઉતારીને રામલલ્લાના દર્શન કર્યા હતા.
અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં આજે રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવ પર્વે ભગવાન રામલલ્લાના લલાટે આજે બપોરે 12.01 વાગ્યે વિજ્ઞાનની ખાસ ટેકનોલોજીની મદદથી રામલલ્લાના લલાટે ગર્ભગૃહમાં સૂર્યતિલક કરવામાં આવ્યું હતું.
આ સૂર્યતિલક દરમિયાન વડાપ્રધાન મોદી આસામમાં ચુંટણી પ્રવાસે હતા. ત્યારે તેઓ આસામના નલવાડીમાં જનસભાને સંબોધીત કરી રહ્યા હતા. પરંતુ જનસભાને સંબોધીત કર્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ પોતાના ટેબલેટ પર રામલલ્લાને સૂર્યતિલકની અદભૂત પળના દર્શન કર્યા હતા.
ખુદ પીએમ મોદીએ પોતાના સોશિયલ એકાઉન્ટ મીડીયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ખાસ વાત એ છે કે જયારે વડાપ્રધાન મોદી રામલલ્લાના સૂર્યતિલકની ક્ષણોના દર્શન કરી રહ્યા હતા ત્યારે તેમના પગમાં જૂતા નહોતા.
વડાપ્રધાને રામલલ્લાના લલાટે સૂર્યતિલક નિહાળી પોતાના ભાવ વ્યક્ત કરતા લખ્યું કે, રામલલ્લાને સૂર્યતિલકના અદભૂત અને અપ્રતિમ ક્ષણને નિહાળવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીરામ જન્મભૂમિની આ ખૂબ જ રાહ જોવડાવનારી આ પળ સૌ કોઈના માટે પરમાનંદની ક્ષણ છે. સૂર્યતિલક વિકસીત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy