ન્યુ દિલ્હી / વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 13 મેના રોજ કાશીમાં પીએમ મોદીનો મેગા રોડ શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવાના છે. નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે વારાણસી પહોંચી રહ્યા છે.
આ દરમિયાન તેઓ રોડ શો કરશે અને પછી નોમિનેશન ફાઈલ કરશે. પીએમ નરેન્દ્ર મોદીના ચૂંટણી રોડ શોને સફળ બનાવવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. બીજેપીના સૂત્રો અનુસાર 10 લાખ લોકો પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા બનારસના માર્ગો પર ઉતરશે.
પીએમ નરેન્દ્ર મોદી 13 મેના રોજ વારાણસી પહોંચશે. સાંજે મોદી લગભગ 10 કિ.મી લાંબો રોડ શો કરશે. સૌથી પહેલા પીએમ મોદી મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ તેમનો રોડ શો શરૂ થશે.
પીએમ મોદીના સંભવિત રૂટ મુજબ લંકા બાદ આસી, ભદૈની, મદનપુરા, જંગંબડી, ગોદૌલિયા, ચોક, બુલાનાલા, મૈદાગીન, લોહટિયા, કબીરચૌરા, પીપલાની કટરા, લહુરાબીર થઈને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડ શોનું સમાપન થશે. બીજા દિવસે 14 મેના રોજ પીએમ મોદી પોતાનું નામાંકન ભરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy