પુંછ હુમલામાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન લશ્કર સામેલ, ત્રણથી ચાર આતંકવાદીઓએ અંજામ આપ્યો

India, World | 06 May, 2024 | 12:19 PM
સાંજ સમાચાર

દિલ્હી, તા 6 
શનિવારે સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં ત્રણથી ચાર આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે, જેમણે અચાનક હુમલો કર્યો હતો.

આ હુમલાનો માસ્ટારમાઈન્ડ અબુ હમઝા હોવાનું કહેવાય છે, જે સરહદી જિલ્લા રાજૌરી-પૂંચમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. વધુ નુકસાન પહોંચાડવાના હેતુથી હુમલામાં સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી.

રવિવારે બીજા દિવસે પણ આતંકવાદીઓની શોધ ચાલુ રહી. સુરક્ષા દળો 20 કિલોમીટરથી વધુની ત્રિજ્યામાં આતંકીઓને ઘેરીને તેમને શોધવામાં વ્યસ્ત છે. સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, ડોગ સ્ક્વોડ અને પેરા કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન શંકાના આધારે છથી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે AK એસોલ્ટ રાઈફલ્સ ઉપરાંત, આતંકવાદીઓએ મહત્તમ જાનહાનિ કરવા માટે યુએસ નિર્મિત M4 કાર્બાઈન્સ અને સ્ટીલ બુલેટનો પણ ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ભાગીને જંગલમાં છુપાઈ ગયા હતા. જમ્મુ KIGP આનંદ જૈન અને સેના અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓને મારવા માટે શાહસિતાર, ગુસઈ, સનાઈ અને શિંદરા ટોપ સહિત ઘણા વિસ્તારોમાં સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. પુંછના સરહદી જિલ્લા તેમજ નજીકના રાજૌરીમાં છેલ્લા બે વર્ષમાં મોટા આતંકવાદી હુમલાઓ થયા છે. આ વિસ્તારમાં 2003 થી 2021 વચ્ચે આતંકવાદનો અંત આવ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj