તાજેતરમાં પરિણીતી ચોપરા પ્લાસ્ટિક સર્જરી કરાવીને ગર્ભવતી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે પરિણીતી ચોપરાએ આ અફવાઓ પર મૌન તોડયું છે.
પરિણીતી ચોપરાએ જણાવ્યું કે, તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ અમરસિંહ ચમકીલા માટે તેણે 15 કિલો વજન વધાર્યું છે. આ માટે તેણે વિદ્યા બાલન પાસેથી પ્રેરણા લીધી હતી.
તેણે કહ્યું કે, ઘણા લોકોએ તેન વજન વધારવાના નિર્ણય વિશે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેની ફિલ્મ કરિયર પર ખરાબ અસર પડી શકે છે. તેણે કહ્યું, પરંતુ વિદ્યા બાલને મને આ ચેલેન્જ સ્વીકારવા માટે પ્રેરિત કર્યા કારણ કે તેણે ફિલ્મ ધ ડર્ટી પિકચર માટે આવો જ પડકાર લીધો હતો.
ફિલ્મના શુટિંગ માટે મારે બે વર્ષ સુધી વજન વધારવું પડયું હોવાથી મારા હાથમાં ઘણું કામ ગયું. હું પણ ખૂબ જ ખરાબ દેખાવા લાગી અને આ કારણે મારી પ્રેગ્નન્સી અને પ્લાસ્ટિક સર્જરી થઈ, અફવાઓ પણ ફેલાઈ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy