નવી દિલ્હી,તા.12
આરએસએસ સાથે સંકળાયેલી પત્રિકા ‘ઓર્ગેનાઈઝ’ના તાજેતરના અંકમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપના અતિ આત્મવિશ્વાસી કાર્યકર્તાઓ અને અનેક નેતાઓને સત્યનો સામનો કરાવનારા છે.
પત્રિકાના જણાવ્યા અનુસાર નેતા અને કાર્યકર્તા પીએમ મોદીના આભા મંડળના આનંદમાં ડૂબેલા રહ્યા અને તેમણે આમ જનતાના અવાજ સામે આંખ આડા કાન કરી નાખ્યા. લેખમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આરએસએસ ભાજપની જમીની તાકાત ભલે ન હોય પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ચૂંટણી કામમાં સહયોગ માંગવા માટે સ્વયંસેવકોનો સંપર્ક સુધ્ધા નહોતો કર્યો.
લેખમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પરિણામોમાં સેન્ટરના કાર્યકર્તાઓની ઉપેક્ષા પણ સાફ વર્તાય છે. જેમણે કોઈ લાલસા વિના કામ કરેલું. તેની જગ્યાએ એશિયન મીડીયા અને સેલ્ફી સંસ્કૃતિથી બહાર આવેલા કાર્યકર્તાઓને મહત્વ આપવામાં આવ્યું.
આરએસએસના આજીવન સભ્ય રતન શારદાએ લેખમાં જણાવ્યું છે કે, 2024માં સામાન્ય ચૂંટણીના પરિણામો અતિ આત્મવિશ્વાસથી ભરેલા ભાજપના કાર્યકર્તાઓ અને અનેક નેતાઓ માટે સચ્ચાઈનો સામનો કરાવનારા છે.
એમને એ વાતનો અહેસાસ નહોતો કે પીએમ મોદીનો 400 પારનું આહવાન તેમના માટે એક લક્ષ્ય હતું કે વિપક્ષ માટે એક પત્રકાર, લેખમાં જણાવાયું હતું કે સોશિયલ મીડીયા પર પોસ્ટર અને સેલ્ફી શેર કરવાથી નહીં, બલકે મેદાન પર સખત મહેનતથી લક્ષ્ય હાંસલ કરવામાં આવે છે.
પત્રિકામાં જણાવાયુ હતું- તેઓ પોત પોતાનામાં મગ્ન હતા, મોદીજીની આભામંડળનો આનંદ લઈ રહ્યા હતા, એટલે આમ આદમીનો અવાજ નહોતા સાંભળી શકતા.
પત્રિકાએ લખ્યું હતું- ભાજપના લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે બિનજરૂરી રાજનીતિને પણ કારણ બતાવ્યું. મહારાષ્ટ્રમાં બિન જરૂરી રાજનીતિ તોડ-જોડ તેનું મુખ્ય ઉદાહરણ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy