GST અપીલના કેસોમાં રાહતની તૈયારી

India | 15 June, 2024 | 02:39 PM
કરદાતાને 10ને બદલે 7 ટકા રકમ ભરવાની દરખાસ્ત: જુના વિવાદોના ઉકેલ માટે સમાધાન યોજના: 22મીએ જીએસટી કાઉન્સીલની બેઠકમાં મહત્વના નિર્ણયો થશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.15
કેન્દ્ર સરકારની જીએસટી આવકમાં સતત વધારા વચ્ચે વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્ર્નો લક્ષ્યમાં લેવા સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. જીએસટી વસુલી નોટીસ સામે અપીલમાં જવા માંગતા કરદાતાઓને આગોતરા કર ચુકવણીમાં રાહત આપવામાં આવે તેવી શકયતા છે.

કેન્દ્ર સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે, ટેકસ અપીલ માટે હાલ 10 ટકા કર ભરવાની જોગવાઈ છે તે 7 ટકા થઈ શકે છે. આગામી 22મી જૂને યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ દરખાસ્ત પર નિર્ણય થવાની સંભાવના છે. આ સિવાય જીએસટી લાગુ થયા પુર્વેના વર્ષોના ટેકસ વિવાદના કેસોમાં સમાધાન સ્કીમ જાહેર થવાની પણ સંભાવના છે. જીએસટી ચોરી રોકવા માટે શંકાસ્પદ રજીસ્ટ્રેશનમાં આધાર ઓથેન્ટીફીકેશન ફરજીયાત બનાવવાની દરખાસ્ત પર પણ નિર્ણય થઈ શકે છે.

સૂત્રોએ કહ્યું કે, જીએસટી યુગ પુર્વેના વિવાદો માટેની સૂચિત સમાધાન સ્કીમ કાઉન્સીલમાં મંજુર થવાના સંજોગોમાં આગામી બજેટમાં તેની જાહેર થઈ શકે છે. ફેબ્રુઆરીમાં રજુ થયેલા વચગાળાના બજેટમાં 25000 સુધીની નાની રકમના ટેકસ વિવાદો માટે સ્કીમ જાહેર કરવામાં આવી હતી.

સૂત્રોએ કહ્યું કે જીએસટી યુગ પુર્વેના ટેકસ વિવાદના કેસોમાં રાજયો વ્યક્તિગત રીતે પણ સમાધાન યોજના જાહેર કરી શકે છે. પરંતુ દેશભરમાં એક સમાન યોજના રહે તે માટે કાઉન્સીલે મુદો હાથ પર લીધો છે. અનેક રાજયોએ ભૂતકાળમાં સમાધાન સ્કીમ જાહેર કરી જ હતી.

જીએસટી લાગુ થયા બાદ ઉદભવેલા જુના વિવાદો ઉકેલવા માટે સમાધાન સ્કીમ જાહેર કરવા વેપાર-ઉદ્યોગકારો લાંબા વકતથી માંગણી કરી જ રહ્યા છે. સમાધાન યોજના જાહેર થાય તો વેપાર-ઉદ્યોગકારો પર જંગી પેનલ્ટીનુ ભારણ ઓછુ થવા સાથે વિવાદનો નિકાલ આવી શકે અને અદાલતો પરનુ કેસ ભારણ ઓછુ થઈ શકે છે.

નાણાંમંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશના ભાગરૂપે જીએસટી કાઉન્સીલની બેઠકમાં અનેક નિર્ણયો શકય છે. જોખમી કરદાતાઓની સ્ક્રુટીની પ્રક્રિયા કડક બનાવવા પણ નિર્ણય થશે.

ગુજરાત, આંધ્રપ્રદેશ તથા પુડુચેરીમાં જીએસટી રજીસ્ટ્રેશનમાં આધાર એથેન્ટીફીકેશનનો પાયલોટ પ્રોજેકટ સફળ રહ્યા છે ત્યારે શંકાસ્પદ રજીસ્ટ્રેશનો માટે તે દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય લેવાય શકે છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj