રિઝર્વ બેન્કે બુધવારે કોટક મહિન્દ્રા બેન્કને તેની ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ ચેનલો દ્વારા તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેંકે નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.
બેંક પર આ પ્રતિબંધ લાદવાનું કારણ સમજાવતા આરબીઆઈએ કહ્યું કે તેણે 2022 અને 2023 વચ્ચે પર્યાપ્ત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા અંગે બેંકને તેની ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ બેંક આ ખામીઓને દૂર કરવામાં સતત નિષ્ફળ રહી.
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને RBIએ કોટક મહિન્દ્રા બેંક સામે આ કાર્યવાહી કરી છે. જો કે જે લોકો પહેલાથી જ બેંકના ગ્રાહક છે તેમને પહેલાની જેમ જ તમામ સેવાઓ મળતી રહેશે.
આરબીઆઈને બેંકના આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક નિવારણ વ્યૂહરચના જેવા ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. સતત બે વર્ષથી આવું જોવા મળ્યું હતું, પરંતુ બેંક કોઈ નક્કર પગલાં લઈ શકી ન હતી.
મજબૂત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરહાજરીમાં, બેંકની કોર બેંકિંગ સિસ્ટમ (CBS) અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ ચેનલોમાં છેલ્લા બે વર્ષમાં વારંવાર આઉટેજ જોવા મળે છે. નવીનતમ આઉટેજ 15 એપ્રિલે આવી હતી, જેના કારણે ગ્રાહકોને અસુવિધા થઈ હતી.
હવે બેંકના બાહ્ય ઓડિટ પછી લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા કરવામાં આવશે. આ એક્સટર્નલ ઓડિટ માટે બેંકે આરબીઆઈની પૂર્વ મંજૂરી લેવી પડશે. બેંકે આરબીઆઈના નિરીક્ષણ અને બાહ્ય ઓડિટમાં દર્શાવેલ તમામ ખામીઓને પણ દૂર કરવી પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy