કેરલ : કેરળના ઈન્ડિયા બ્લોકમાં બધુ બરાબર નથી. ડાબેરી પક્ષે વાયનાડથી રાહુલ ગાંધી સામે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. હવે તેમના સમર્થક અપક્ષ ધારાસભ્ય પીવી અનવરે કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમનું ડીએનએ ચેક કરાવવું જોઈએ.
અનવરે કહ્યું કે, તેઓ ખૂબ નીચા પડી ગયા છે. મને શંકા છે કે રાહુલ ગાંધીનો જન્મ નેહરૂ પરિવારમાં થયો હતો. મારા મતે, તેમણે તેમની અટકમાં ગાંધીનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
અનવરે આ વાત રાહુલ ગાંધીના તે નિવેદન સામે કહી હતી જેમાં તેમણે કેરળના સીએમ પર બે મુખ્યમંત્રી જેલમાં છે એમ કહીને આડે હાથ લીધા હતા. કેરળના મુખ્યમંત્રી સાથે આવું કઈ રીતે નથી થઈ રહ્યું? આ થોડું આશ્ચર્યજનક છે.
આ નિવેદને ભારતીય બ્લોક ગઠબંધનના નેતાઓ, કોંગ્રેસ અને સીપીઆઈ-એમ વચ્ચે ચાલી રહેલા મતભેદોને વધુ વધાર્યા છે. અહીં 23 એપ્રિલ મંગળવારના રોજ કેરળના સીએમ પિનરાઈ વિજયને અનવરનો બચાવ કર્યો અને કહ્યું- રાહુલ બોલતી વખતે સાવચેત રહે.
ગત સપ્તાહે કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલે સીએમ પર નિશાન સાધ્યું હતું, રાહુલે કહ્યું હતું - બે મુખ્યમંત્રી (અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન) જેલમાં છે. કેરળના મુખ્યમંત્રી સાથે આવું કઈ રીતે નથી થઈ રહ્યું? સોમવારે, મલપ્પુરમના એદથનાટ્ટુકરામાં સીપીઆઈ-એમની ચૂંટણી રેલીમાં, અનવરે આ જ નિવેદન માટે રાહુલની ઝાટકણી કાઢી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy