સામ પિત્રોડાએ છેડેલા વિવાદમાં હવે કોંગ્રેસ અને ગાંધી પરિવારને નિશાન બનાવતા વડાપ્રધાન

ઇન્દીરાની સંપત્તિ બચાવવા રાજીવ ગાંધીએ વારસદાર ટેકસ રદ્દ કર્યો હતો : મોદી

India, Politics, Lok Sabha Election 2024 | 25 April, 2024 | 03:43 PM
પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના મૃત્યુ બાદ તેમની સંપત્તિ પૂરેપૂરી રાજીવ ગાંધીને મળે તે માટે કાનુનને પણ રદ્દ કરાયો અને હવે એ જ પક્ષ વારસદાર કાનુન લાવીને તમારી સંપત્તિ હડપ કરવા માંગે છે : ચૂંટણી સભામાં મોદીનો જબરો પ્રહાર
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 25
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ છેડેલા વારસદાર ટેકસ મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તોપનું નાળચું ગાંધી કુટુંબ ભણી ફેરવ્યું છે. ગઇકાલથી ચગેલા વિવાદમાં વડાપ્રધાને બીજા તબકકાના મતદાન પૂર્વે આગ્રામાં એક સભાને સંબોધતા કહ્યું કે આપણા દેશમાં એક સમયે વ્યાપક રીતે તૃષ્ટિકરણનું રાજકારણ ચાલતું હતું અને તેનાથી દેશ અનેક ટુકડાઓમાં વહેંચાયેલો છે અને જો યોગ્ય અને પ્રમાણીક છે તેના અધિકારીઓ આ રાજકારણને કારણે છીનવાયા છે.

તેમણે કહ્યું કે, કોઇ વચેટીયાની મદદ વગર તમામને સરકારી યોજનાઓની મદદ મળવી જોઇએ. વડાપ્રધાને તેમના સંબોધનમાં વારસદાર ટેકસ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસને તેના એક પરિવારની ચિંતા છે અને તે જ પક્ષ માટે આ પરિવાર જ મહત્વનો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ગાંધી કુટુંબની મિલ્કત બચાવવા રાજીવ ગાંધીએ જ વારસદાર ટેકસ રદ્દ કર્યો હતો.

ઇન્દીરા ગાંધીની જે મિલ્કતો હતી તે બચાવવા રાહુલે તેમની જ સરકારે લાદેલા ટેકસને રદ કર્યો હતો. હજુ ગઇકાલે જ મોદીએ એક સભામાં કોંગ્રેસ ઇંહેરીટેંસ મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસ ફરી સતામાં આવશે તો આ વેરો ફરી લાવશે.  મોદીએ સભામાં કહ્યું કે હું તમારી સમક્ષ રસપ્રદ વાસ્તવિકતા રાખવા જઇ રહ્યો છું જયારે દેશના વડાપ્રધાન ઇન્દીરા ગાંધી ન રહ્યા તો તેમની મિલ્કતો તેમના સંતાનોને મળે તે પૂર્વે જ સરકાર તેમાંથી એક હિસ્સો લઇ શકવાની હતી.

રાજીવ ગાંધીએ પોતાને મળનારી મિલ્કતો બચાવવા માટે આ વારસદાર કાનુન નાબુદ કર્યો અને વાત ત્યાં જ પૂરી કરી દેવામાં આવી. સતા માટે આ લોકો ફરી વધુ કડક કાનુન લાવવા માંગે છે અને રાહુલ ગાંધીનો આડકતરો ઉલ્લેખ કરતા  કહ્યું કે શાહજાદા પૂરા દેશમાં ફરી ફરીને કહી રહ્યા છે કે તમારી સંપતિનો એકસરે થશે, તમારા કબાટમાં શું પડયું છે તે  ઉપરાંત તમારા માતા-બહેનોના ડબ્બામાં કેટલી સ્ત્રીધન છે તે પણ પૂછાશે. સ્ત્રીધન અને મંગલસુત્ર પવિત્ર હોય છે અને તેની રક્ષા કરવાની હોય છે. કોંગ્રેસ તે જપ્ત કરીને પોતાની વોટબેંકને મજબુત બનાવવા માટે તમને લુંટવાની યોજના કરી રહ્યા છે. 

તેઓ નામદાર, અમે કામદાર : રાહુલ ગાંધી પર નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની સભામાં કહ્યું કે કોંગ્રેસના શાહજાદા (રાહુલ ગાંધી)ને વડાપ્રધાને સાચુ ખોટુ કહેવામાં મજા આવે છે. હું ટીવી પર અને સોશ્યલ મીડિયામાં આ બધુ જોઇ રહ્યું છું અને લોકો તેનાથી દુ:ખી થઇ રહ્યા છે પરંતુ હું કહું છું કે દુ:ખી ન થાવ કારણ કે નામદાર હંમેશા કામદારને ગાળી ગલોચ કરતા જ રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને વિકાસ વિરોધી સમસ્યા છે.

આ ક્ષેત્રમાં વિશાળ સંખ્યામાં સૈનિક પરિવારો રહે છે તેમને સંબોધતા કહ્યું હતું કે સરહદની સુરક્ષા માટે અમે જવાનોને ખુલ્લી છુટ આપી છે. જો એક ગોળી આપણા સૈનિકો પર છોડાય તો દસ છોડવાની છુટ આપી છે અને તે તોપ ફેંકાઇ તો દસ તોપથી જવાબ અપાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj