રાજ્યસભાના સભ્ય સંજય સિંહના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો: અરવિંદ કેજરીવાલ સાથે જેલમાં આતંકવાદી જેવો વ્યવહાર

India, Politics | 16 April, 2024 | 05:19 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા 16 
એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જેલમાં આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

ગઈકાલે સોમવારે જેલમાં કેજરીવાલને મળવા ગયેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે યોગ્ય વ્યવહાર  કરવામાં આવ્યો નથી. કાચની દીવાલ વચ્ચે જેલમાં મળવાનું થયું, તે ખૂબ જ અપમાનજનક કૃત્ય હતું. કેન્દ્ર દ્વારા આ દૂષિત પ્રતિશોધાત્મક કાર્યવાહી છે. સીસીટીવી કેમેરા દ્વારા કેજરીવાલ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.

સંજય સિંહે જણાવ્યું કે આ બધી બાબતો થી અરવિંદ કેજરીવાલ તૂટવાના નથી. કેજરીવાલ મોદીજીની આ તાનાશાહીથી ડરતા નથી.વડાપ્રધાને દેશની જનતાને નિરાશ કરી છે. તેઓ ભારતના સૌથી મોટા કૌભાંડ પર બોલ્યા નથી જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા આઠ હજાર કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યું છે.

આ એક મોટું કૌભાંડ છે. સુપ્રીમ કોર્ટે આના પર કાર્યવાહી કરી છે અને એક મેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ભાજપ દેશની અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ જૂઠું બોલવામાં નિપુણતા ધરાવે છે. ભાજપે દારૂના વેપારી શાસ્થ ચંદ રેડ્ડી પાસેથી 60 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું સ્પષ્ટ થયું છે. આ એ જ રેડ્ડી છે જેમને ઈડી એ કથિત દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj