રામલલ્લાનાં મોદીએ દંડવત દર્શન કર્યા: રોડ-શોમાં જનસૈલાબ ઉમટયો

India, Politics, Lok Sabha Election 2024 | 06 May, 2024 | 12:00 PM
અયોધ્યાથી ગુજરાતની શ્રીકૃષ્ણભુમી દ્વારકાનો ઉલ્લેખ
સાંજ સમાચાર

અયોધ્યા,તા.6
ભગવાન શ્રીરામની જન્મભૂમી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં નિર્ણય બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત અયોધ્યાની મુલાકાત લઈને રામલલ્લાને દંડવત કરીને દર્શન-પુજા અર્ચના કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિરમાં રામલલ્લાનાં દર્શન કર્યા હતા. ભગવાન શ્રીરામની આરતી કરી હતી. જે થાળીમાં દીપક રાખીને આરતી ઉતારી તેમાં કમળના ફૂલ પર રાખવામાં આવ્યા હતા. ઉતર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પણ સાથે રહ્યા હતા.

રામલલ્લાનાં દર્શન બાદ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં વિરાટ રોડ-શો કર્યો હતો. તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને મોદી યોગી પર ફુલ વરસાવ્યા હતા. આ તકે વડાપ્રધાને દ્વારકાની કૃષ્ણનગરીનો પણ ઉલ્લેખ કર્યો હતં.

શ્રી કૃષ્ણની દ્વારકા દરીયામાં ડુબેલી છે.પુરાતત્વ વિભાગે શોધી લીધી છે. મેં પોતે સમુદ્રની અંદર જઈને દર્શન કર્યા છે અને મોરપંખ અર્પણ કર્યા છે. ઉતર પ્રદેશની સમાજવાદી પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે તો યદુવંશી છો અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાવાળા પર સવાલ ઉઠાવનારાઓની કેમ આરતી ઉતારો છો મોદી તો શ્રી કૃષ્ણની આરતી ઉતારાશે.

દેશમાં જુદા જુદા રાજયોમાં આવતીકાલે લોકસભાની ત્રીજા તબકકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે.તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને સૂચક ગણવામાં આવે છે.રોડ-શોમાં જનસૈલાબ ઉમટયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj