રવિન્દ્રનાં ઓલરાઉન્ડ દેખાવથી પંજાબ ફસકયુ: ચેન્નાઈની 28 રને જીત

India, Sports | 06 May, 2024 | 10:46 AM
♦ પંજાબ સામે સળંગ પાંચ હાર બાદ ચેન્નાઈએ વિજય મેળવ્યો
સાંજ સમાચાર

♦ જાડેજા આઈપીએલનાં ઈતિહાસમાં 16 મી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો

ધર્મશાલા,તા.6
ચેપોકમાં છેલ્લા મુકાબલામાં હાર સાથે પાટા પરથી ખડી ગયેલી ‘ચેન્નાઈ એકસપ્રેસ’ધર્મશાળામાં ફરી પહાડ ચડી ગઈ છે. રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવના જોરે ચેન્નાઈમાં પંજાબ સામે 28 રને જીત હાંસલ કરી હતી.

પંજાબ સામે સળંગ પાંચ મેચમાં પરાજીત ચેન્નાઈએ છઠ્ઠા મેચમાં વિજય મેળવ્યો હતો અને પ્લે ઓફમાં પહોંચવા માટેની સંભાવના વધુ દ્રઢ બનાવી હતી. ધર્મશાલામાં ચેન્નાઈએ નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 167 રન બનાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. 26 દડામાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 43 રન ઝુડયા હતા.આ સિવાય કપ્તાન ગાયકવાડ 32 તથા મીચેલના 30 રન મુખ્ય હતા. શિવમ દુબે તથા ધોની ખાતા પણ ખોલાવી શકયા ન હતા.

168 રનના વિજય ટારગેટ સાથે પંજાબની ટીમ માત્ર 139 રન જ કરી શકી હતી. જાડેજા ઉપરાંત સિમરજીત તથા દેશપાંડે જેવા બોલરોનાં તરખાટ સામે પંજાબ પરાસ્ત થઈ હતી. જાડેજાએ 3 વિકેટો ઝડપી હતી. જાડેજા 16 મી વખત આઈપીએલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj