બેંગ્લોર, તા. 15
કર્ણાટક હાઈકોર્ટે પોકસો કેસમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત આપી છે. કોર્ટે આગામી સુનાવણી સુધી યેદિયુરપ્પાની ધરપકડ પર રોક લગાવી છે. કોર્ટે યેદિયુરપ્પાને તપાસમાં સહકાર આપવા કહ્યું છે. બીએસ યેદિયુરપ્પાએ 17 જૂને સીઆઇડી સમક્ષ તપાસ માટે ઉપલબ્ધ રહેવું પડશે. આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
બાર અને બેંચના રિપોર્ટ અનુસાર જસ્ટિસ એસ કૃષ્ણા દીક્ષિતે બીએસ યેદિયુરપ્પાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. અદાલત રાજ્ય સરકારના આરોપ સાથે સહમત ન હતી કે યેદિયુરપ્પાએ તેમને 11 જૂને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે આપવામાં આવેલી નોટિસની અવગણના કરી અને પછી થોડા કલાકોમાં દિલ્હી ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર પોકસો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354અ (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy