રાજકોટ તા.15
શહેરનાં નાનાં મૌવા રોડ અંબિકા ટાઉનશીપ કસ્તુરી રેસીડેન્સીમાં દિકરાના ઘરે રહેતાં નિવૃત શિક્ષક હરજીભાઈ મેરજાને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ હરજીભાઈ શામજીભાઈ મેરજા (ઉ.વ.85, રહે. હરિહર નગર રવાપર રોડ મોરબી) ગઈ કાલ બપોરના પાંચેક વાગ્યાની આસપાસ તેઓ તેનાં દિકરા બળવંતભાઈ (રહે. નાના મૌવા રોડ અંબિકા ટાઉનશીપ કસ્તુરી રેસીડેન્સી) ને ત્યાં હતાં ત્યારે અચાનક શ્વાસ રુંધાતા બેભાન થઈ ગયા હતા. બાદ બેભાન હાલતમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. તેઓ બિમાર રહેતાં હોય એટલે દિકરાને ઘરે રહેતાં હતાં. મૃતક નિવૃત શિક્ષક હતાં.હરજીભાઈને હાર્ટ એટેક આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનાં હતાં તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy