► પુર્વ સીએમ ખટ્ટરની ચેતવણી : કોંગ્રેસ તેનું ઘર સલામત રાખે: નહીતર નુકશાન તેને જ છે
ચંદીગઢ: દેશમાં લોકસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ વચ્ચે જ ઓચિંતા પાટનગર દિલ્હીના પાડોશી રાજય હરિયાણામાં રાજકીય સંકટ પેદા થયુ છે અને નેતૃત્વ પરિવર્તન બાદની ભાજપની નાયબસિંહ સૈનીના નેતૃત્વની સરકારને ટેકો આપતા ત્રણ અપક્ષોએ હવે સરકાર સાથે છેડો ફાડીને કોંગ્રેસને ટેકો જાહેર કરતા જ સૈની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે.
હાલમાં જ સરકારથી અલગ થયેલા પુર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલાએ પણ વિપક્ષોને ટેકો આપીને સરકારના વિશ્વાસ મતની માંગણી કરી છે. એક તરફ હજુ રાજયમાં લોકસભા ચૂંટણીમાં તમામ 10 બેઠકો પર મતદાન બાકી છે અને ભાજપ માટે હવે મહત્વનો તબકકો શરૂ થાય છે તે સમયે જ આ રાજયમાં ભાજપને માટે રીવર્સ ઓપરેશન કમલમ થયુ છે.
હરિયાણામાં આ વર્ષના અંત પુર્વે જ ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગઈકાલે ત્રણ અપક્ષોએ પુર્વ મુખ્યમંત્રી ભુપીન્દરસિંહ હુડાની હાજરીમાં સરકારને ટેકો પાછો ખેંચી લઈને કોંગ્રેસની સાથે જવાની જાહેરાત કરી હતી. રાજયની સૈની સરકાર માટે 88 સભ્યોની વિધાનસભામાં 45 ધારાસભ્યોના ટેકાની જરૂર છે જેમાં બે ધારાસભ્યો ઘટે છે અને તેથી હવે ફલોર ટેસ્ટમાં તે ટકી શકે કે કેમ તે પ્રશ્ન છે.
જો કે હાલમાં જ નવા મુખ્યમંત્રી તરીકે સૈનીએ શપથ લીધા છે અને તેથી વિધાનસભા અધ્યક્ષે હાલ કોઈ ફલોર ટેસ્ટની જરૂર નહી હોવાનો દાવો કર્યો છે. હવે ભાજપ શું વળતો ખેલ નાખે છે તેના પર સૌની નજર છે. રાજયના પુર્વ મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટરે કોંગ્રેસને તેના ધારાસભ્યોને ‘સાચવવા’ સલાહ આપી છે. જો સરકાર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવશે તો તૂટશે તો કોંગ્રેસ જ તેની પણ ચીમકી ઉચ્ચારી છે. જો કે હવે રાજયપાલને મળીને વિપક્ષ સરકાર પર દબાણ લાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy