વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત સવજાણી બી.બી.એ., બી.સી.એ. કોલેજના વિધાર્થીઓ સેમેસ્ટર-6માં સારા માર્ક સાથે ઉર્તીણ થઇ કોલેજનું ગૌરવ વધારેલ છે. વેરાવળમાં આવેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે. એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ. બી.સી.એ. કોલેજમાં શૈક્ષણિકવર્ષ 2023-24 માં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માર્ચ - એપ્રિલ 2024 ની બી.બી.એ. સેમેસ્ટર-6 પરીક્ષામાં પ્રથમ સ્થાને દાવડા યશવી જીતેન્દ્ર (CGPA 08.66), બીજા સ્થાને સોલંકી ભાવેશકુમાર વરજાંગભાઇ (CGPA 08.63), ત્રીજા સ્થાને લોઢારી નવીન રમેશભાઇ (CGPA 08.57) તેમજ બી.સી.એ. સેમેસ્ટર -6 પરીક્ષામાં પ્રથમ સ્થાને આહુજા યોમેશ ઘન્શયામ (CGPA 09.00), બીજા સ્થાને વઢવાણા નેનસી હસમુખભાઇ (CGPA 08.92), ત્રીજા સ્થાને મેનોન અર્જુન અજયકુમાર (CGPA 08.75) તેમજ બી.કોમ. સેમેસ્ટર - 6 પરીક્ષામાં પ્રથમ સ્થાને જોષી દિવ્યાબેન દિપક (CGPA 08.36), બીજા સ્થાને આંજણી શ્રધ્ધા કાંતીભાઇ (CGPA 08.34), ત્રીજા સ્થાને વિજાણી નિખીલ છગનભાઇ (CGPA 08.02), ત્રીજા સ્થાને ચાવડા પ્રતિક ધર્મેન્દ્રભાઇ (CGPA 08.02) સાથે પાસ થઇ પરિવાર સાથે કોલેજનું ગૌરવ વધારતા આચાર્ય જીગરભાઈ રાવલ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આવકારેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy