લખનૌ, તા 16
હવે નવજાતને કમળાની તપાસ માટે લોહી આપવા સોયનો દુખાવો સહન કરવો પડશે નહીં. નવજાત શિશુના કપાળ પર મૂકતાની સાથે જ એક ખાસ ઉપકરણ કમળાનું સ્તર જણાવશે.
આ ઉપકરણ પીજીઆઈમાં સ્થાપિત મેડટેક સેન્ટર ઓફ એક્સેલન્સના નિર્દેશન હેઠળ બનાવવામાં આવ્યું છે. તેનું નામ બિલી શ્યોર રાખવામાં આવ્યું છે. ઉપકરણના પ્રારંભિક ટ્રાયલ્સમાં, પીજીઆઈમાં સારવાર કરાયેલા 480 નવજાત શિશુઓમાં 96 ટકા સચોટ પરિણામો પ્રાપ્ત થયા હતા. આ ઉપકરણને બજારમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મેડટેક સેન્ટર ઓફ એક્સેલન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્યામ કુમારે જણાવ્યું હતું કે હાલમાં, કમળાની તપાસ કરવા માટે, નવજાત શિશુનું લોહી લેવામાં આવે છે અને બિલીરૂબિનનું સ્તર જોવામાં આવે છે.પરંતુ આ ઉપકરણથી કમળાની તપાસ શક્ય છે.
ઓળખ બે સેકન્ડમાં કરવામાં આવશે:
ઉપકરણ બનાવનાર ઈજનેર જીતેશ પાંડેએ જણાવ્યું હતું કે આ ઉપકરણમાં સેન્સર લગાવવામાં આવ્યા છે. જ્યારે નવજાત શિશુના કપાળ પર મૂકવામાં આવે છે, ત્યારે આ ઉપકરણ માત્ર બે સેકન્ડમાં તેના લોહીમાં બિલીરૂબિનનું સ્તર તપાસે છે. આ પ્રક્રિયા એકદમ સરળ છે.
બિલીરૂબિનનું સ્તર 14 થી વધુ ચિંતાજનક
ભાખરાવ દેવરસ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો.મનીષ શુક્લા કહે છે કે નવજાત શિશુમાં કમળો જોવા માટે બિલીરૂબિન ટેસ્ટ કરવામાં આવે છે. બિલીરૂબિનનું સ્તર 12 થી 14 ળલ/મક વચ્ચે સામાન્ય છે. જો તે આના કરતા વધી જાય, તો સારવાર જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy