અમરેલી, તા.2
કારીગરોને અદભૂત કળાઓ વારસામાં મળી હોય છે ને એવા કારીગરો અત્યારે આધુનિક યુગમાં ઓછા જોવા મળે છે પણ સાવરકુંડલા ખાતે રહેતા એક શિલ્પ કારીગરે સાધુ, સંતો, ક્રાંતિકારી યોઘ્ધાઓ અને રાજકીય મહાનુભાવોને ફોટો પરથી નકશી કામ વડે કંડારીને આબેહૂબ ચિત્ર એક થાળીમાં તૈયાર કરી આપે છે.
સાવરકુંડલામાં એક શિલ્પકાર કેતન રાઠોડ 6 બાય 1રની દુકાનમાં હાથમાં સીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહૃાા છે.
એમ કહેવાય છે કે, મોરનાં ઈંડાને ચીતરવા ન પડે ત્યારે સાવરકુંડલાની અંદર કંસારા બજારમાંદુકાન ધરાવતા બળવંતભાઈ રાઠોડના પુત્ર કેતન ઘ્વારા ર016થી જર્મન સિલ્વર અને પિતળનાં સીટ ઉપર મેન્યુઅલી કોતર કામ કરી સુંદર મજાની કલાકારીગીરી કરી રહૃાા છે જેમાં સાુધ, સંતોની તસ્વીરો હોય. કોઈ વ્યકિતની તસ્વીરો હોય કે લગ્નમાં વપરાતા દીવડાઓ હોય અદભૂત કારીગરી દ્વારા આ નમૂનાઓ બનાવવામાં આવે છે અને નકશી કામ કર્યા બાદ તેમને ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરવામાં આવે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહૃાો છે. ત્યારે આ કારીગર નરેન્દ્ર મોદીનો ચાહક છે અને છેલ્લા દોઢ-બે મહિનાની અથાગ મહેનત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોતર કામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લેટેસ્ટ લાઈટિંગ વાળી ફ્રેમ બનાવી છે. નરેન્દ્ર મોદીનું ચિત્ર કમળ અને 2024 લખેલી આ આકર્ષક ફ્રેમ તે સૌરાષ્ટ્રમાં જયા પણ મોદી આવવાના હશે ત્યાં તેમને રૂબરૂ અર્પણ કરવાની ઈચ્છા પણ ધરાવે છે. આશરે 25 હજારના ખર્ચે બનેલી મોદીની આ કલાત્મક કોતરકામ ડિઝાઈન ઉડીને આંખે વળગે તેવી બેનમૂન કારીગરી આંખોને અચંબિત કરી આપે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy