નારાયણપુર (છતીસગઢ) તા.15
અત્રે અબુજગઢના જંગલોમાં સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચેની અથડામણમાં આઠ નકસલીઓ ઠાર થયા હતા જયારે એક જવાન શહીદ થયો હતો અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અબુજગઢના જંગલોમાં નકસલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળો દ્વારા ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા તંત્ર ત્રાટકતા નકસલીઓ પ્રતિકાર કરવા માટે ગોળીબાર શરુ કર્યો હતો અને તેમાં સામસામી અકળામણ થઈ હતી. આઠ નકસલીઓ ઠાર થયા હતા. એક સુરક્ષા જવાન પણ શહીદ થયાના અહેવાલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy