નવી દિલ્હી,તા.20
યોગગુરૂ, બાબા રામદેવની મુશ્કેલીનો અંત નથી આવતો હવે બાબા રામદેવનાં પતંજલી યોગપીઠ ટ્રસ્ટને શુક્રવારે સુપ્રિમ કોર્ટે ઝટકો આપ્યો છે.અદાલતે અપીલીયય ન્યાયાધીકારણનાં એ નિર્ણયને યથાવત રાખ્યો. જેમાં ટ્રસ્ટને યોગ શિબીરનાં આયોજન માટે એન્ટ્રી ફી લેવા પર સેવા કર ચુકવવાનું કહેવામાં આવ્યુ હતું.
ન્યાયમુર્તિ આમય એસ.ઓઝા અને ન્યાયમુર્તિ ઉજજવલ ભુઈયાની પીઠે સીમા શુલ્ક, ઉત્પાદન શુલ્ક અને સેવા કર અપીલીય ન્યાયાધિકરણ (સીઈએસટીએટી) ની અલાહાબાદ પીઠના 5 ઓકટોબર 2023 ના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો પીઠે પતંજલી ટ્રસ્ટની અપીલને ફગાવી દેતા કહ્યું હતું કે ન્યાયાધિકરણનાં આદેશની સમીક્ષા કરવાનું કોઈ કારણ નથી.
ખરેખર તો સીઈએસટીએટીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે પતંજલી યોગપીઠ ટ્રસ્ટ યોગ શિબીરોમાં સામેલ થવા માટે ચાર્જ વસુલવામાં આવે છે. એટલે આ સ્વાસ્થ્ય ફીટનેસ સેવાની શ્રેણીમાં આવે છે અને તેના પર સેવા કર લાગશે.
આ હતો મામલો:
સીમા શુલ્ક અને કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક, મેરઠ રેન્જના કમિશ્નરે ઓકટોબર 2006 થી માર્ચ 2011 માટે દંડ અને વ્યાજ સહીત લગભગ 4.5 કરોડ રૂપિયાના સેવા કરની પતંજલી યોગપીઠ ટ્રસ્ટ પાસેથી માંગ કરી હતી. જેના જવાબમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે એવી સેવાઓ આપી રહ્યું છે જે બીમારીઓનાં ઈલાજ માટે છે. આ સેવાઓ સ્વાસ્થ્ય અને ફીટનેસ સેવા અંતર્ગત કર યોગ્ય નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy