નવીદિલ્હી તા.15
દેશ એક તરફ આકરા ઉનાળાની ગરમીને સહન કરી રહ્યો છે અને રાજકીય ગરમી પણ તેમાં ઉમેરાઈ છે તે વચ્ચે હવામાન ખાતાએ સારા સમાચાર આપ્યા છે અને આ વખત નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતા વધુ રહેશે તેવું જણાવ્યું છે અને લાંબાગાળા માટે ચોમાસાની સરેરાશ 106 ટકા રહી શકે છે. હાલમાં જ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી તે વચ્ચે હવામાન ખાતાએ તેની પ્રથમ સત્તાવાર આગાહી પૂર્વે એક સંકેત આપતા જણાવ્યું હતું કે ભારતમાં ચોમાસુ સરેરાશ કરતા વધુ રહેશે.
જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતા 6 ટકા વધુ એટલે કે 106 ટકા વરસાદ પડશે. હવામાન ખાતાની આ આગાહી પગલે દેશમાં અર્થતંત્ર માટે સારા સમાચારનો સંકેત છે. હાલ આકરા ઉનાળા માટે પેસીફીક સમુદ્રના અલનીનોને જવાબદાર ગણાવાય છે જે ગરમ પાણીના પ્રવાહને ઉત્તેજન આપી રહ્યું છે પરંતુ જુન માસ આવતા અલનીનોની અસર લગભગ પુરી થઈ જાશે. અને લા-નીનો કે જે ભારત માટે સારૂ ચોમાસુ લાવે છે. તેની અસર શરૂ થતા ભારે વરસાદની શકયતા દર્શાવાય રહી છે.
ભારતમાં જુન માસમાં ચોમાસુ બેસે છે જોકે ગ્લોબલ વોર્મીંગના કારણે ચોમાસાનું સેડયુલ થોડું પાછુ ઠેલાયુ છે પરંતુ તા.10 જુન સુધીમાં કેરળને હીટ કરી દેશે તેવું માનવામાં આવે છે આમ આ વર્ષનું ચોમાસુ સારૂ રહેતા દિવાળી બાદ અર્થતંત્રને જબરો વેગ મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy