રાજકોટ, તા.2
રાજકોટમાં અંધશ્રદ્ધામાં અટવાયેલી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભુવા - ભારાડી પાસે અવારનવાર જતી હોય, પિતાને અણબનાવમાં કંઈક થઈ જશે તેવુ કોઈએ જણાવી દેતા ડર પેસી જતા ઝેરી દવા પીધી હતી.
બનાવની વિગત અનુસાર ભગવતીપરામાં રહેતી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેઓનાં પિતાએ જણાવ્યું કે, તેની દીકરીના પીતરાઈ ભાઈએ અગાઉ આપઘાત કરી લીધો હતો. બાદ માનસીક રીતે તેઓને અંધ શ્રદ્ધાની ધારણા પેઠી ગઈ હતી. કે તેણીના પિતા સાથે પણ આવો બનાવ બનશે. જેને લઈને તેણી ભુવા પાસે પણ જતી હતી.
આવા વિચાર વાયુના કારણે વિદ્યાર્થિનીએ ગઈ કાલે મક્કમ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. બાદ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પીધેલી હાલતમાં બેઠેલ હોય જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણીનાં પિતા રાજકોટ કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેણી ત્રણ બહેન અને એક ભાઈમાં મોટી છે. બનાવને લઈને તેઓનાં પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy