કરાંચી, તા.19
પાકિસ્તાનમાં ચીની સહિતના વિદેશી નાગરિકો પર હુમલામાં હવે જાપાનના નાગરિકો પણ ભોગ બનવા લાગ્યા છે. આજે સવારે કરાંચીમાં જાપાનીઝ નાગરિકોને લઇ જતાં એક વાહન પર આત્મઘાતી હુમલામાં બેના મોત થયા હતા જો કે જાપાનના નાગરિકનો બચાવ થયો હતો. અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
આ વિદેશી નાગરિકોને લઇ જતી એક કાર પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. અને તેમાં હુમલાખોર બંને ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અગાઉથી જ આ વાહનને સુરક્ષા આપવામાં આવી હતી તેમ છતાં પણ ત્રાસવાદીઓએ હુમલો કરવાનું સાહસ કર્યું હતું.
આ જાપાનીઝ નાગરિકો કરાંચીમાં એક એક્સપોર્ટ યુનિટમાં કામ કરતાં હતા અને આજે સવારે તેઓને યુનિટ પર લઇ જવા માટે આવેલી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા તે સમયે જ કરાંચીમાં આ હુમલો થયો હતો. જો કે હુમલાની જવાબદારી હજુ કોઇ આતંકી સંગઠને લીધી નથી. પાકિસ્તાનના બલુચીસ્તાન સહિતના પ્રાંતમાં આ પ્રકારે ચાઇનીઝ નાગરિકો જે પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે તેના પર અવાર નવાર હુમલા થતાં રહ્યા છે.
ચીને ખુદ હવે તેના નાગરિકોની સુરક્ષા માટે અલગથી વ્યવસ્થા કરી છે તેમ છતાં પણ હુમલા અટક્યા નથી. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં બે વાહનોને નુકસાન થયું હતું. આતંકવાદીઓએ આતમઘાતી પહેર્યું હતું અને એક ગ્રેનેડ પણ તેમની પાસે હતો.
એક્સપોર્ટ યુનિટમાં કામ કરતાં જાપાનીઝ કર્મચારીઓને લઇ જતી કાર પાસે તેઓ પહોંચ્યા હતા અને ખુદને ઉડાવીને વિસ્ફોટ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અન્ય એક આતંકીએ કાર પર ફાયરીંગ કરીને તેને ધીમી પાડી હતી. મૃતકો બંને પાકિસ્તાની નાગરિકો છે જ્યારે ત્રણ સુરક્ષા કર્મચારીઓને ઇજા થઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy