નવીદિલ્હી,તા.16
પોતાની પતંજલિ કંપનીની આયુર્વેદિકની ભ્રામક વિજ્ઞાપન અને એલોપથીને ઉતારી પાડવાના કેસમાં યોગગુરૂ બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટ સામે ‘શીર્ષાસન’ કરવું પડયું છે. મતલબ કે સુપ્રીમ કોર્ટમાં તો માફી માગી છે હવે સુપ્રીમ કોર્ટે તેમને જાહેરમાં માફી એક વીકમાં માગવાનો આદેશ કર્યો છે.
સુનાવણી દરમિયાન બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણ બન્ને હાજર હતા અને તેમણે વ્યકિતગત રીતે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી લીધી છે.
ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહની પીઠે તેમની માફીની નોંધ લીધી હતી.
સાથે સાથે એક પણ સ્પષ્ટ કર્યુ હતું કે, આ સ્તરે અમે રાહત આપવાનો નિર્ણય નથી કર્યો. જોકે ન્યાયમૂર્તિઓની બેન્ચે બાલકૃષ્ણ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આપ સારૂ કામ કરી રહ્યા છો પણ આ એલોપથીને નીચા ન દેખાડી શકો.
પીઠને રામદેવે જણાવ્યું હતું કે તેમનો કોઈપણ રીતે અદાલતનો અનાદર કરવાનો ઈરાદો નહોતો. જોકે પીઠે બાલકૃષ્ણને જણાવ્યું હતું કે, તેઓ (પતંજલિ) એટલા નિર્દોષ પણ નથી કે તેમને ખબર જ ન હોય કે સુપ્રીમ કોર્ટે આ મામલામાં અગાઉના આદેશોમાં શું કહ્યું હતું.
પતંજલિના ભ્રામક વિજ્ઞાપન મામલાના કેસમાં હવે આગામી સુનાવણી 23મી એપ્રિલે થશે આ દિવસે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ કેસમાં વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે, રામદેવ જાહેરમાં આ મામલે માફી માગવા માગે છે.
બાબા રામદેવ અને પતંજલિનું પ્રતિનિધિત્વ કરતા વકીલે મુકુલ રોહતાંગીએ એ પણ કોર્ટમાં આશ્વાસન આપ્યું હતું કે, હવે પછી કયારેય કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે. ખાસ કરીને તેમના ઉત્પાદનોના વિજ્ઞાપન કે બ્રાન્ડીંગ સંબંધિત વિજ્ઞાપનોમાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy