નવી દિલ્હી, તા. 26
દેશમાં લોકસભા સહિતની ચૂંટણીઓમાં મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ તથા તેની સાથે જોડાયેલા વીવીપીએટીના તમામ મતોનું ક્રોસ વેરીફીકેશન મુદ્દે સુપ્રિમ કોર્ટ સમક્ષ થયેલી તમામ અરજીઓ આજે ફગાવી દેવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે આ ઉપરાંત દેશમાં બેલેટ પેપર મારફત મતદાનની માંગણી પણ ફગાવી દીધી હતી.
સુપ્રિમ કોર્ટ સમક્ષ રજુ થયેલી અરજીમાં ઇવીએમના મતો અને વીવીપીએટીની જે સ્લીપ બહાર આવે છે તે બંનેનું 100 ટકા વેરીફીકેશન એટલે કે બંનેમાં પડેલા મતોની 100 ટકા ક્રોસ વેરીફીકેશન અરજી કરવામાં આવી હતી. જોકે ગઇકાલે જ સર્વોચ્ચ અદાલતે આ અંગે હાલની ચૂંટણી પ્રક્રિયામાં તે કોઇ જાતની દખલ કરવા માંગતું નહીં હોવાનો સંકેત આપી દીધો હતો.
ચૂંટણી પંચને વીવીપીએટી અને ઇવીએમ વિશ્વનીયતા કેટલા પ્રશ્નો પૂછયા અને બાદમાં સંતોષ વ્યકત કર્યો હતો અને આજે સર્વોચ્ચ અદાલતે આજે આ ક્રોસ વેરીફીકેશન અંગેની તમામ અરજીઓ નકારી છે આ ઉપરાંત દેશમાં બેલેટ પેપરથી લોકસભા ચૂંટણી યોજવા અંગે પણ કરાયેલી માંગણીને ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે આ ચુકાદો આપતા હવે ઇવીએમ અંગે સર્જાયેલા તમામ વિવાદનો અંત આવી ગયો છે.
ગઇકાલે જ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યુ હતું કે ઇવીએમ અને વીવીપીએટીને કોઇપણ રીતે બહારથી કંટ્રોલ કરી શકાય તે શકય નથી અને જે રીતે બંનેના માઇક્રો કંટ્રોલર અલગ અલગ રીતે યુનિટની અંદર જ ફીટ થયા છે તેથી તેમાં ચેડા પણ શકય નથી અને અત્યાર સુધીમાં કોઇપણ ગરબડ પ ટકા રેન્ડમ ક્રોસ વેરીફીકેશનમાં પણ બહાર આવી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy