અમદાવાદમાં ચુંટણી સમયે કાળા વાવટા દર્શાવવા પર પ્રતિબંધનો વિવાદ પણ હાઈકોર્ટમાં જશે

ચુંટણી સમયે કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અંગે સમીક્ષા કરશે સુપ્રીમ

India, Politics, Lok Sabha Election 2024 | 20 April, 2024 | 11:15 AM
♦ ચુંટણી સમયે જાહેર થતા અનેક પ્રકારના આડેધડ પ્રતિબંધાત્મક આદેશોને પડકારતી રીટ દાખલ
સાંજ સમાચાર

♦ મતદાર જાગૃતિ સહિતની સભા- સરઘસ- યાત્રાઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જીલ્લા તંત્રને આદેશ

નવી દિલ્હી: ગુજરાતમાં હાલ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેના આંદોલનમાં ગઈકાલે જ અમદાવાદ પોલીસ કમિશ્નર જાહેરનામામાં ઉમેદવારની સભા-સરઘસ કે તેમના પ્રચાર સમયે કાળા વાવટા દર્શાવવા પર પ્રતિબંધ મુકયો તે મુદો હવે ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવા ક્ષત્રિય સમાજે નિર્ણય લીધો છે તે વચ્ચે હવે ચુંટણી સમયે જે રીતે જીલ્લા કલેકટર દ્વારા કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જે રીતે આડેધડ જાહેર થાય છે તે પણ સુપ્રીમકોર્ટની એરણ હેઠળ છે.

હાલ મતદાર જાગૃતિ માટે સભા કે યાત્રા આયોજન અંગે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જીલ્લા કલેકટર સહિતની ઓથોરીટીને આદેશ આપ્યો છે. ગઈકાલે એક ખાસ સુનાવણીમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું કે ચુંટણીમાં મતદાન સહિતના મુદે લોકોમાં જાગૃતતા આવે તે માટે યાત્રા કે જનસભા કે તેવા આયોજન થતા હોય તો તે માટે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવાનો રહેશે.

આ બાદ સુપ્રીમકોર્ટ કલમ 144 હેઠળ જે પ્રતિબંધાત્મક આદેશો ચુંટણી સમયે જાહેર કરવામાં આવે છે તેને પડકારતી રીટ અરજી પર પણ સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈની ખંડપીઠ સમક્ષ દલીલ કરવામાં આવી કે ચુંટણી છે એટલે તેના આધારે જ કલમ 144નો અમલ જાહેર કરી દેવામાં આવે છે. પણ તેનાથી લોકોના ચુંટણી મુદાઓ સમજવાના કે મતદાન માટેની જાગૃતતા લાવવા માટેના જે આયોજનો થાય છે તે પણ યોજી શકાતા નથી.

સર્વોચ્ચ અદાલતે તે બાદ મતદાર જાગૃતી માટે સભા-યાત્રા કે તેવા કાર્યક્રમો માટે મંજુરી માંગતી અરજીઓ પર ત્રણ જ દિવસમાં નિર્ણય લેવા જણાવ્યું છે. સામાજીક કાર્યકર્તા નિખીલ ડે અને અરણા રાયની અરજી પરથી આ આદેશ આપ્યો હતો તો હવે ચુંટણી સમયે કલમ 144 હેઠળના પ્રતિબંધાત્મક આદેશમાં સુપ્રીમ કોર્ટે તેની યોગ્યતા અંગે વિચારણા કરવાની તૈયારી કરી છે જે અંગે હવે સુનાવણી થશે.

ઉમેદવારી પત્ર રદ થવા મુદે તાત્કાલિક સુનાવણીની સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ના
તો ચૂંટણી પ્રક્રિયા જ ખોરવાઈ જશે: મુખ્ય ન્યાયમૂર્તિ

નવી દિલ્હી: લોકસભા સહિતની ચૂંટણીમાં ઉમેદવારોના ફાર્મમાં ક્ષતિ કે તેવા કારણોસર તેની ઉમેદવારીપત્રક રદ કરવાના ચુંટણી અધિકારીના નિર્ણયો પર કોઈ તાત્કાલિક સુનાવણીની સર્વોચ્ચ અદાલતે ‘ના’ કહીને ઉમેર્યુ કે જો આ રીતે અદાલતો દરમ્યાનગીરી કરે તો સમગ્ર ચુંટણી પ્રક્રિયા ખોરવાઈ જવાની શકયતા છે.

બિહારમાં એક અપક્ષ ઉમેદવારના ફોર્મમાં ક્ષતિના કારણે રદ થતા તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 36 હેઠળ ચુંટણી અધિકારીને પેટા કલમ 4 મુજબ જે સતા આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટતા માંગતી અરજી કરવામાં આવી હતી અને કઈ ક્ષતિના કારણે ઉમેદવારી રદ થશ શકે તેની વ્યાખ્યા કરવાની પણ માંગ થઈ હતી.

સર્વોચ્ચ અદાલતના પ્રથમ ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની ખંડપીઠે જો કે આ અરજી પર વિચારણા કરવા ઈન્કાર કરતા કહ્યું કે જો આ પ્રકારે નોટીસો આપીએ તો ચુંટણી પ્રક્રિયા ખોરવાઈ જશે તે માટે (અરજદારે) ચુંટણી નિયમોને સન્માન આપવું જોઈએ અને જો કોઈ પ્રશ્ન હોય તો તમારે પહેલા હાઈકોર્ટે જવું જોઈએ અને તમારે ચુંટણી રીટ દાખલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલત આ પ્રકારની અરજીમાં સાંભળવા તૈયાર નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj