મુંબઈ તા. 30
આગામી જુન મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. શીવમ દુબે, યશશ્વી જયસ્વાલ, ઋષભ પંત, સંજુ સેમસન જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. કે. એલ. રાહુલ, રીંકુસિંઘ અને શુભમન ગીલને સામેલ કરવામાં આવ્યા નથી.
ભારતીય ક્રીકેટ બોર્ડની પસંદગી સમિતીની બેઠક આજે યોજાઈ હતી જેમાં ટી.20 વર્લ્ડ કપ માટેની ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. કેપ્ટન તરીકે રોહીત શર્મા નું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા રહેશે. બે વિકેટકીપરમાં ઋષભ પંત, સંજુ સેમશનને લેવામાં આવ્યા છે.
ભારતની હાલની ક્રિકેટ ટીમમાં સામેલ ત્રણ મોટા ચહેરાઓની બાદબાકી કરવામાં આવી છે. જેમાં કે. એલ. રાહુલ, રીકુંસિંઘ, તથા શુભમન ગીલનો સમાવેશ થાય છે. ગીલ અને રીંકુ સિંઘને રીર્ઝવમાં રાખવામાં આવ્યા છે. પરંતુ કે. એલ. રાહુલની તો સંપૂર્ણ બાદબાકી કરવામાં આવી છે. કે. એલ. રાહુલ આગલા ટી-20 વર્લ્ડકપની ટીમમાં સામેલ હતો.
બે વિકેટકીપરમાં પંત અને સેમસન ને લેવામાં આવ્યા છે. બન્નેનો વર્તમાન આઈપીએલમાં જબરજસ્ત દેખાવ રહ્યો છે. પસંદગી સમિતિ દ્વારા ટીમના 15 ખેલાડીઓની જાહેરાત કરવા ઉપરાંત 4 ખેલાડીઓને રીર્ઝવ તરીકે જાહેર કર્યા છે. તેમાં શુભમન ગીલ, રીકુંસિઘ, ખલીલ અહેમદ અને આવેશખાનનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમમાં હાર્દિક પંડયા સહિત ચાર ફાસ્ટ બોલરોને સામેલ કરવામાં આવ્યા છે. જયારે ચાર સ્પીનર રહેશે તેમાંથી હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહેશે. અક્ષર પટેલ પણ ઓલરાઉન્ડર ગણાશે.
ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યાકુમાર યાદવ, ઋષભ પંત (વી.કી) સંજુ સેમસન (વી.કી), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસ્પ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન સ્ટેન્ડ બાય પ્લેયર. 1 જૂન થી 29 જૂન સુધી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં વર્લ્ડ કપ રમાશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy