નવી દિલ્હી: દેશમાં એક તરફ ઘરેલું બચત ઘટી રહી છે તેની સામે રોકાણના વિકલ્પો મોંઘા અને જોખમી બની ગયા છે તેથી જે લોકો પોતાના નાણાને સલામત તથા નિયમીત આવક આપનારા વિકલ્પ શોધે છે તેના માટે બેન્કોની થાપણો હજુ શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એક રિપોર્ટ મુજબ બેન્કોની થાપણોમાં સિનીયર સીટીઝનની એફડીનું પ્રમાણ ડબલ થઈને 30% જેટલું થઈ ગયું છે.
બેન્કો તથા પોષ્ટઓફિસ રોકાણમાં સીનીયર સીટીઝનને 50 બેઝીક પોઈન્ટ (અડધો ટકો) વધુ વ્યાજ આપવામાં આવે છે અને જે સીનીયર સીટીઝન કરદાતાની વ્યાખ્યામાં આવતા હોય તેઓને આ વ્યાજમાં ચોકકસ મર્યાદા સુધીની રકમ કરમુક્ત રહે છે.
આ વ્યવસ્થા એ સીનીયર સીટીઝનને નાણાકીય રીતે સલામત રાખવાનો છે. આ સ્થિતિ વચ્ચે બેન્કોનું ધિરાણ 2024ના નાણાકીય વર્ષમાં 20.2% વધ્યુ છે તો થાપણો 13.5% વધી છે. એક તરફ રિઝર્વ બેન્કે ફુગાવા સામેની ચિંતા છે. વ્યાજદર સતત ઉંચા રાખ્યા છે અને ધિરાણ માંગ પણ વધી રહી છે તેથી બેન્કો પોતાની નાણાકીય પ્રવાહિતા જાળવી રાખવા માટે થાપણદારોને આકર્ષવા ફિકસ ડિપોઝીટ પર વધુ વ્યાજ ઓફર કરે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ચીફ ઈકોનોમીસ્ટ સૌમ્યા કાંતિ ઘોષના જણાવ્યા મુજબ બેન્કો પાસેની થાપણમાં 7.4 કરોડ સીનીયર સીટીઝનોની છે અને તે રકમ રૂા.34 લાખ કરોડની થાય છે. 2019માં સીનીયર સીટીઝન થાપણદારોનું પ્રમાણ 4.1 કરોડ હતું.
અને થાપણો રૂા.14 લાખ કરોડ હતી જે 150%નો વધારો દર્શાવે છે. સરકારે કરકપાત માટે આ પ્રકારની થાપણો પરના વ્યાજની મર્યાદા રૂા.50000 કરી છે અને થાપણો પર જો વ્યાજદર ઉંચા જ રહે તો વધુ સીનીયર સીટીઝન બેન્કો ભણી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy