અયોધ્યા,તા.7
રામમંદિર નિર્માણ સમીતીની બે દિવસીય બેઠક મંદિર પરિસરમાં એલએન્ડટી કાર્યાલયમાં મળી હતી. જેની અધ્યક્ષતા મંદિર નિર્માણ સમીતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે કરી હતી. બેઠકમાં નૃપેન્દ્ર મિશ્રે મંદિરમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે નૃપેન્દ્ર મિશ્રે રામમંદિર અને પરિસરમાં ચાલી રહેલા બધા પ્રકલ્પોનું ભૌતિક નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે રામમંદિરનું નિર્માણ ડિસેમ્બર 2024 સુધીમાં જો પુરું ન થયું તો ત્રણ મહિનાનો સમય વધારવાનો આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ વોલનું કામ પણ 50 ટકા પૂરું થઈ ગયું છે. ગ્રાઉન્ડ વોલમાં દેવી-દેવતાઓના મંદિરની સાથે માતા અન્નપૂર્ણાના મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જેમાં રામલલાનો ભોગ બનશે અને ત્યાં ભોગ રામલલાને લગાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ અપાયા છે. બેઠકમાં એન્જીનીયરોએ પ્રેઝન્ટેશનથી મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કાર્યોની પ્રગતિ નૃપેન્દ્ર મિશ્રને બતાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy