ગોંડલ, તા.15
લેન્ડ ગ્રેબિંગ કેસમાં બંધિયા ગામના પૂર્વ સરપંચ ઓમદેવસિંહ વાઘેલાને જામીન મળેલ. જોકે શરત ભંગ કરી હોવાના દાવા સાથે આ જામીન રદ કરવાની અરજી થઈ હતી. જે કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની વિગત મુજબ, ગોંડલમાં રહેતા જયાબેન મનસુખભાઈ ગજેરાને કલેકટર દ્વારા ચોરડી ગામના રેવન્યુ સર્વે-નં-18 નાં ખરાબાવાળી જમીન પેટ્રોલપંપ બનાવવા માટે ફાળવવામાં આવી હતી.
જે જમીનમાં બંધીયા ગામના પૂર્વ સરપંચ ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલા સહિત ત્રણ શખ્સોએ કબ્જો કર્યો હોવાના આક્ષેપ સાથે જયાબેન ગજેરાએ ગોંડલ તાલુકા મથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીએ જેલમાંથી રેગ્યુલર જામીન અરજી કરતા રાજકોટ સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કરેલ હતો.
ફરિયાદીએ જામીન અરજી રદ કરવાં સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ચાલતા આરોપીઓના વકીલે કરેલી દલીલો ધ્યાને લઈ કોર્ટે જામીન રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા, વૈશાલીબેન બી. નગરીયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy