મુંબઇ, તા.12
લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે અપેક્ષિત પરિણામ આવ્યું નહતું અને એકલા હાથે બહુમતી હાંસલ કરી શક્યો નહતો. ત્યારે ભાજપના જ સાથીપક્ષ શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એવો કટાક્ષ કર્યો હતો કે ‘400 કે પાર’ના સૂત્રથી કાયદાને બદલે નુકશાન થયું હતું.
એકનાથ શિંદેએ કહ્યું કે ‘400 પાર’ના નારાથી ભાજપને બે તૃતીયાંશ મબહુમતી મળી જવાનો અને તેના આધારે તે બંધારણ બદલાવી નાખશે તેવી શંકા ઉઠવા લાગતા નુકશાન થયું હતું. લોકોના મનમાં આ શંકા ઘર કરી ગઇ હતી અને એટલે ભાજપ 250 બેઠક સુધી પણ પહોંચી ન શક્યો. સમગ્ર એનડીએને પણ 300 બેઠક મળી શકી નહતી. અનેક રાજ્યોમાં પછડાટ મળી હતી. મહારાષ્ટ્રમાં પણ અપેક્ષિત સારા પરિણામ આવી શક્યા ન હતા.તેઓએ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે 10 વર્ષમાં તેઓએ ક્યારેય રજા પણ લીધી નથી છતાં શું થયું? 400 પારના નારાથી નુકશાન થયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy