મુંબઇ, તા.18
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે છોકરા અને છોકરીઓ વચ્ચે વધતા જતાં જન્મદર તફાવત અને છોકરીઓનો જન્મ ઓછો થાય છે તેના પર ચિંતા વ્યકત કરતા સમયે એવું કહ્યું કે જો આમને આમ ચાલશે તો એક વખત મહિલાઓની હાલત દ્રૌપદી જેવી થઇ જશે કે જેને એકથી વધુ પતિ હશે.
પુના જિલ્લામાં ઇન્દ્રાપુર ખાતે તેઓએ સભા સંબોધી હતી અને ખાસ કરીને બાળકની જાતિ જાણવા માટે જે રીતે ગેરકાનૂની યુક્તિઓ અજમાવાય છે તેના પર પ્રતિક્રિયા અપાઇ હતી અને તેને કહ્યું કે 1000 છોકરાઓ સામે 850 છોકરીઓનો જન્મ થાય છે અને તેનાથી ભવિષ્યમાં લગ્ન સમયે એક મહિલા સાથે લગ્ન કરવા અનેક પુરુષો તૈયાર હશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy