ધંધો રોજગાર શરૂ કરવા મનપા દ્વારા બેંક મારફતે રૂ।. 2 લાખની લોન યોજના

Local | Rajkot | 15 June, 2024 | 04:44 PM
બેંકેબલ યોજનામાં 7% ઉપરના વ્યાજની સબસીડી નો લાભ
સાંજ સમાચાર

રાજકોટ:તા 15 
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના  DAY-NULM દ્વારા દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2,00,000/- ની મહત્તમ મર્યાદામાં  લોન મળશે. તથા આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ. જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળી શકશે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા મળવાં પાત્ર છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.

આ યોજાનાનો લાભ લેવા પાસપોર્ટ ફોટોગ્રાફ-2,ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ,પાન કાર્ડ,સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો, મકાન વેરાબિલ ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે),લાઈટબિલ ,ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી/ સહમતી પત્રક,ક્વોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની નકલ સહિતના ડોક્યુમેન્ટ આપવા ના રહેશે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ એ કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj