નવી દિલ્હી,તા.7
ગુજરાતની 25 સહિત દેશના 12 રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોમાં યોજાય રહેલી ત્રીજા તબકકાની ચૂંટણી ખાસ કરીને ભાજપ-એનડીએ માટે ઘણી મહત્વપૂર્ણ છે.આજની ચૂંટણીમાં સામેલ બેઠકોમાંથી 2019 માં 73 બેઠકો ભાજપે જીતી હતી. સાથી પક્ષોની 8 બેઠકો ગણતા 81 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો હતો.
આજના ચૂંટણી તબકકામાં સામેલ બેઠકો-મતક્ષેત્રો ભાજપ-એનડીએનો સ્ટ્રોંગ હોલ્ડ ગણાય છે. કારણ કે 92 માંથી 81 બેઠકો પર તેમનો કબ્જો છે. 48 ટકા વોટ શેર સાથે ભાજપે એકલા હાથે 72 બેઠકો જીતી હતી. જયારે તેની સહયોગી પાર્ટીઓએ 8 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસનાં ફાળે માત્ર ત્રણ તથા તેના સહયોગી પક્ષોને ચાર બેઠકો મળી હતી.
આજના ચૂંટણી તબકકામાં ભાજપનાં ગઢ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમીત શાહના વતનના રાજય એવા ગુજરાતની આ બેઠકોનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં કુલ 26 બેઠકો છે પરંતુ સુરત સીટ અગાઉ જ બીન હરીફ થઈ ગઈ હોવાના કારણોસર મતદાન 25 બેઠકો પર છે. આ તમામ 25 બેઠકો જાળવવાનો ભાજપ માટે પડકાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગાંધીનગરની બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.અગાઉ વાજપેયી તથા અડવાણી લડયા હતા. આ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર તથા પરસોતમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ક્ષત્રીય આંદોલન તથા ભાજપની વિરૂદ્ધ મતદાન કરવાના ક્ષત્રિય આંદોલન તથા ભાજપની વિરૂદ્ધ મતદાન કરવાના ક્ષત્રિય સમાજના એલાનને કારણે કેટલી બેઠકોમાં જંગ રસપ્રદ થવા સાથે કાંટે કી ટકકર થવાનું ચિત્ર ઉપસ્યુ છે.
ગુજરાત સિવાય કર્ણાટકમાં 14 બેઠકોનું આજે મતદાન છે અને આ તમામ સીટો પર ભાજપનો કબ્જો છે. ભાજપનો વોટ શેર બાવન ટકા તથા કોંગ્રેસનો 32 ણકા હશે. ભાજપને 2019 નું પુનરાવર્તન રહેવાનો વિશ્વાસ છે. છતા રાજયમાં શાસન કોંગ્રેસનું હોવાના કારણોસર બેઠક જાળવવાનો ભાજપ માટે પડકાર છે.
14 માંથી હવેરીની બેઠક ધ્યાનાકર્ષક છે.જયાં પૂર્વ મુખ્યમંત્રી બશ્વરાજ બમ્માઈ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. યેદિયુરપ્પાનો પુત્ર રાઘવેન્દ્ર ઉપરાંત કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશી પણ ચૂંટણી મેદાનમાં છે.
રાજકીય ઉથલપાથલનાં સાક્ષી બનેલા મહારાષ્ટ્રમાં પણ 11 બેઠકોની ચૂંટણી છે. તેમાં કોંગ્રેસ-સાથી પક્ષોની 6 છે અને એનડીએની 5 છે. બન્ને મોરચાને બેઠકો બચાવવાનો પડકાર છે. રત્નાગીરીમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તથા શિવસેના (ઉધ્ધવ જૂથ)ના વિનાયક રાઉત વચ્ચેનાં જંગ મહત્વના બનશે. બારામતીમાં સુપ્રિયા સુલે તથા અજીત પવારના પત્નિ સુનેત્ર પવાર વચ્ચેનાં મુકાબલા પર પણ ધ્યાન રહેશે.
ગુજરાતની જેમ ભાજપના ગઢ એવા મધ્યપ્રદેશમાં 9 બેઠકોમાં મતદાન થઈ રહ્યું છે. 2019 માં આ તમામ બેઠકો ભાજપ પાસે હોવાથી તે જાળવવાનો પડકાર છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ભાજપે વિદીશાની બેઠક પરથી ઉતાર્યા હોવાથી આ બેઠક પર ધ્યાન કેન્દ્રીત થયુ છે. પુનામાં જયોતિરાદિત્ય સિંધીયા સામે મૂળ ભાજપી યેદવેન્દ્રસિંહનો જંગ છે. રાજગઢ બેઠક પરથી કોંગ્રેસનાં સીનીયર નેતા દિગ્વીજયસિંઘ લડી રહ્યા છે.
ઉતરપ્રદેશમાં 10 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. તેમાં 2019 માં ભાજપે 8 તથા સમાજવાદી પાર્ટીએ બે બેઠક જીતી હતી. મૈનપુરીમાં સપાના ડીમ્પલ યાદવ સામે ભાજપ-બસપાનો ત્રિપાંખીયો જંગ છે. પશ્ર્ચિમ બંગાળમાં ચાર બેઠકોનું મતદાન થઈ રહ્યું છે. 2019 માં ભાજપે એક તૃણમુલ કોંગ્રેસે બે બેઠકો જીતી હતી. એક બેઠક પર કોંગ્રેસની જીત હતી તે જાળવવાનો ત્રણેય પક્ષો માટે પડકાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy