જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીરના 2623માં જન્મ કલ્યાણક અવસરે મુંબઈના યોગી સભાગૃહ ખાતે ભારત જૈન મહામંડળના ઉપક્રમે જૈનોનાચારે ફિરકાના સંત-સતીજીઓના સાંનિધ્યે જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન સવારના 10:00 કલાકે રાખવામાં આવ્યું છે.
પૂજ્ય આચાર્યશ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય મુનિશ્રી કમલકુમારજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વીશ્રી અક્ષયજ્યોતિજી મહાસતીજીના સાંનિધ્યે તેમજ ન્યાયમૂર્તિ શ્રી સંદિપજી મહેતા (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા), ન્યાયમૂર્તિ શ્રી ડો. સુધિરકુમારજી જૈન એવમ જિતેન્દ્રજી જૈન (દિલ્હી હાઇકોર્ટ) અને શ્રી મંગલ પ્રભાતજી લોઢા - (કેબિનેટ મંત્રી- મહારાષ્ટ્ર રાજ્ય)ની વિશેષ ઉપસ્થિતિમાં આ મહોત્સવ સ્વામી નારાયણ મંદિર, યોગી સભાગૃહ, દાદર (ઇ) મુંબઈ ખાતે યોજાશે.
ઉપરાંતમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે ઘાટકોપર સ્થિત ગુરુકુલ સ્કૂલ ખાતે સાંજના 7:30 કલાકે ભગવાન મહાવીર પ્રત્યે અંતરની ભક્તિ ભાવનાનું દર્શન કરાવતો બાળકો માટેનો વિશેષ કાર્યક્રમ "બાલ ગુણ મેલા"લુક એન લર્ન જૈન જ્ઞાનધામના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર મુંબઈની 100થી વધુ જૈનશાળાના તેમજ લુક એન લર્ન જૈન જ્ઞાનધામના 10થી 15 વર્ષના બાળકો ગીત, સંગીત, નૃત્ય, ડ્રામા, સ્પીચ, એક્ટિંગ આદિ કલાના માધ્યમે ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ ભાવનાનું દર્શન કરાવશે. વિશેષમાં, આ અવસરે મુમુક્ષુ યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુના સંયમ ભાવની અનુમોદના કરતાં સમગ્ર ઘાટકોપરના સંઘો દ્વારા સન્માન સમારોહ યોજાશે. ત્યારબાદ પ્રભુ મહાવીરના જન્મોત્સવલક્ષી મધુર ગીત-સંગીત સાથેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.સમગ્ર કાર્યક્રમ ગુરુકુળ સ્કૂલ ગ્રાઉન્ડ, તિલક રોડ, દેરાસર લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે યોજાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy