રાજકોટ, તા.2
વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. તા. 5 અને 6 મી મેના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જનવિજ્ઞાન જાથાની રાજય કચેરીએ જણાવ્યું છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શનિવારે મધ્યરાત્રિ બાદ સોમવાર પરોઢ સુધી આકાશમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. 5 અને 6 મે ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 50 અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કુદરતી નજારો હોય દિશા-સમયમાં થોડા ફેરફારની પુરતી શકયતા છે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતા થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં જાગૃતોએ આયોજન ગોઠવ્યું છે. તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, મોરબી, પાવગઢ, ગોધરા વગેરે નાના-મોટા નગરોમાં જાથાના સદસ્યો માટે એક દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થા કરી છે. ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, સહિતના અનેક સદસ્યો જોડાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy