વોશિંગ્ટન તા.23
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારના જૈનોના 24માં તીર્થંકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના અવસરે જૈન ધર્મના લોકોને શુભકામના આપી હતી. આમ કહેવામાં તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના 24માં તીર્થંકર છે. ગત રવિવારે વીર પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.
જો બાઈડને એક પોસ્ટમાં કહ્યું, ‘હું અને જિલ જૈન ધર્મનાં લોકોને વીર પ્રભુના જન્મ કલ્યાણકની શુભેચ્છા પાઠવું છે. આવો આજે આપણે મહાવીર સ્વામીના મૂલ્યોને અપનાવીએ અને પ્રેમ, ખુશી ફેલાવીને તેનો ઉત્સવ મનાવીએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy