નવી દિલ્હી, તા. 25
દેશમાં યોજાઇ રહેલી 7 તબકકા લોકસભા ચૂંટણીમાં ગઇકાલે પ્રચાર પડઘમ શાંત થયા બાદ આવતીકાલે 89 બેઠકો માટે મતદાનની તૈયારી થઇ ગઇ છે પ્રથમ તબકકામાં 21 રાજયોની 102 બેઠકોમાં મતદાન સંપન્ન થયા બાદ બીજો તબકકો મહત્વનો બની રહેશે તેવા સંકેત છે. આ 88 બેઠકો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીથી લઇને રામાયણમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ સહિત 1206 ઉમેદવારોના ભાવી નિશ્ચિત થશે.
જેમાં હેમામાલિની (મથુરા), શશી થરૂર અને રાજીવ ચંદ્રશેેખર (થિરૂવંતપુરમ)નો સમાવેશ થાય છે. જયારે રામાયણ સીરીયલના રામ અરૂણ ગોવિલ મેરઠ લોકસભા બેઠક પર ભાજપની ટીકીટ પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. વનવાસને બદલે સંસદ ભણી જવાનો તેમનો માર્ગ નિશ્ચિત કરશે. પ્રથમ તબકકામાં મતદાનની ટકાવારી ઘટતા જ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બંને માટે ચિંતા બની રહી હતી. દેશમાં ભારે ગરમી વચ્ચે યોજાયેલા મતદાન અંગે પ્રશ્ન ઉઠયા છે.
જે રાજયોમાં મતદાન થવાનું છે તેમાં કેરળમાં તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં પ્રથમ તબકકા બાદ બાકી રહેલી 13 બેઠકો, મહારાષ્ટ્રમાં 8, ઉતરપ્રદેશમાં 8, મધ્યપ્રદેશ 6, બિહાર અને આસામમાં 5-5, છતીસગઢમાં 3, 5.બંગાળમાં 3 ઉપરાંત મણીપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીરમાં એક-એક બેઠકો પર મતદાન થશે.
પ્રથમ તબકકા કરતા બીજા તબકકામાં ચૂંટણી મુદાઓમાં ભારે બદલાવ આવ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે રીતે વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન સહિતના મુદાઓને આગળ ધરાયા છે તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત છેક મંગલસુત્ર સુધી લઇ ગયા હતા અને હવે તેના પર લોકચુકાદો માંગવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ વાયનાડ પર બીજી વખત લોકચુકાદો માંગવા જઇ રહેલા રાહુલ ગાંધીની પણ અગ્નિ પરીક્ષા છે. આવતીકાલના મતદાન સાથે દેશમાં તામિલનાડુ બાદ કેરળમાં પણ તમામ બેઠકો પર મતદાન સંપન્ન થશે.
બીજા તબકકાથી હવે એનડીએ અને યુપીએની ફરી કસોટીનો પ્રારંભ થયો છે અને તા.7 મેના ગુજરાત સહિતના રાજયોમાં જે મતદાન થવાનું છે તેનો ટોન પણ આવતીકાલના મતદાન પર નિશ્ચિત થાય તેવા સંકેત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy