(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.1
ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ રીતે વિરોધ અને વિરોધની સાથે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા નારી અસ્મિતા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગળ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માં ગાયત્રીના આશીર્વાદ લઇ કોલકી ગામ થઈ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક તેમજ કારની વિશાળ રેલીનો કાફલો ઉપલેટા ખાતે પહોંચ્યો હતો. ઉપલેટાના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડા અને વિવિધ સૂત્રો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો અગ્રણીઓ જોડાયા હતા અને રાજપુત સમાજ ખાતે શપથ લેવામાં આવ્યા હતા.
ઉપલેટામાં યોજાયેલ રેલી બાદ ઉપલેટા રાજપુત સમાજ ખાતે ઉપલેટા તાલુકાના ચારેલીયા ગામના કાકુભા વાળાએ ઉપસ્થિત જેમાં સમાન્તા સદસ્યોએ અમો સોગંદ ખાઈએ છીએ કે, ભાજપને ક્યારેય પણ મત નહીં આપીએ તેવા શપથ લેવાયા હતાં.
રાજકોટના ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા યોજવામાં આવેલ અસ્મિતા ધર્મરથનું ઠેર-ઠેર કુમકુમ તિલક અને હાર તોરા તેમજ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં રેલી નીકળતા વિવિધ સૂત્રોચાર સાથે રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ અને યુવાનો બાઇક તેમજ ફોર વીલના કાફલા સાથે આ રેલીમાં જોવા મળ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy