એનસીપી નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું

માત્ર મહારાષ્ટ્રને દોષ જ શું કામ, ભાજપે ઉત્તરપ્રદેશમાં શું ઉકાળ્યું છે ? છગન ભુજબળ

India, Politics | 14 June, 2024 | 05:26 PM
મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન જોખમમાં
સાંજ સમાચાર

મુંબઇ, તા. 14
મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી (અજીત પવાર જુથ) નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ ચરમસીમાએ પહોંચ્યો છે.  મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળે લોકસભા ચૂંટણીમાં ભાજપની સીટો ઘટતા ભાજપ પર પ્રહારો  કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એનસીપીને દોષ દેતા પહેલા યુપીને પણ જોવું પડશે.

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં હાર પર એનસીપી ધારાસભ્ય છગન ભુજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભુજબળે પોતાના નિવેદનમાં ભાજપ અને ઉત્તર પ્રદેશનો પણ ઉલ્લેખ કર્યો છે.

મહારાષ્ટ્રના મંત્રી ભુજબળે કહ્યું કે, ’લોકસભાની ચૂંટણીમાં અમને (એનસીપી) 48માંથી માત્ર 4 બેઠકો આપવામાં આવી હતી. જેમાં 2 બેઠકો અમારી પાસેથી લઈ લેવામાં આવી હતી. તેથી, રાયગઢ અને બારામતીની આ 2 બેઠકોમાંથી અમે એક બેઠક જીતી છે.’

ભુજબળે વધુમાં કહ્યું કે, ’હવે કોઈ એવું કેવી રીતે કહી શકે કે અમે 48 બેઠકો પર ચૂંટણી લડ્યા, અમને માત્ર 2 બેઠકો મળી. ભાજપ અન્ય રાજ્યોમાં પણ હારી, જેમ કે ઉત્તર પ્રદેશ. કોઈએ વિચાર્યું ન હતું કે ભાજપને ઉત્તર પ્રદેશમાં આટલી ઓછી બેઠકો મળશે. તેથી અજિત પવાર જૂથને દોષિત ઠેરવવા યોગ્ય નથી.’

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે રાજ્યમાં ભારે ઉથલપાથલ સર્જાઈ તેવો માહોલ છે. એનડીએની હાર માટે એનસીપીને જવાબદાર ગણવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રાએ ગુરુવારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે એનસીપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. થોડા દિવસ પહેલા જ તે બારામતીથી લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj