► કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે
રાજકોટ : લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતના એકંદરે સારું પરિણામ મળ્યું છે પરંતુ ધાર્યું નહિ. એવું એટલા માટે કહી શકાય કારણકે ભાજપને 26 માંથી 26 બેઠકો પર જીતની આશા હતી અને એમાં પણ ખાસ સુરતની બેઠક બિનહરીફ થઇ હતી. આ ઉપરાંત પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે તમામ બેઠકો પર પાંચ લાખ થી વધુ મતોની લીડ થી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે માત્ર ત્રણ બેઠકો ગાંધીનગર, નવસારી અને વડોદરા એવી બેઠકો હતી.
જેમાં પાંચ લાખ થી વધુ મતોની લીડ આવી. આ વખતે બે બેઠકો સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો જાહેરાત થયા બાદ બદલવામાં આવ્યા હતા. તો આ ઉપરાંત રાજકોટમાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ સર્જાતા ક્ષત્રિય સમાજનું આંદોલને જોર પકડ્યું હતું.
જામ ખંભાળીયામાં સી.આર.પાટીલની હાજરીમાં ખુરશીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ તમામ વિષયો પર ચર્ચા થશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તમામનો ક્લાસ લેશે અને લોકસભા ચૂંટણી સમીક્ષા બેઠક યોજશે. અનેક બેઠકો પર ભાજપમાં જ આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. તો ક્યાં નેતાઓ ભાજપ વિરોધમાં કામગીરી કરી હતી તેની પણ ચર્ચા થશે. ચૂંટણી સમીક્ષા બેઠક શહેર જિલ્લા સ્તરે હાલ પૂર્ણ થઈ ગઈ છે હવે પ્રદેશ લેવલે સોમવારે યોજાશે. પ્રદેશ ભાજપ નેતાઓ ઉપરાંત પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેશે.
બનાસકાંઠામાં હાર, આણંદ અને પાટણમાં ઓછી સરસાઇ થી જીત :
ઉલ્લેખનિય છે કે ભાજપની બનાસકાંઠા બેઠક પર હાર થઈ હતી. આવું 10 વર્ષ બાદ પ્રથમ વખત બન્યું જ્યારે ભાજપે 26 માંથી 1 બેઠક ગુમાવી પડી. અહી, શંકર ચૌધરીએ બેઠક પર જીતની જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ભાજપ માટે એક બેઠક ગુમાવી તે હેટ્ટ્રીક થતાં રોકાઈ હતી. આ ઉપરાંત આણંદમાં મિતેષ પટેલ અમિત ચાવડા સામે અંદાજે 80000 મતોથી જીત્યા અને પાટણમાં ભરતસિંહ ડાભી પણ 30000 મતોથી જીત્યા હતા. ભાજપ આ ત્રણ બેઠકની પણ સમીક્ષા કરશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy