મુંબઈ તા.8
લોકસભા ચૂંટણી 2024 બાદની રાજનીતિક તસવીરને લઈને વરિષ્ઠ નેતા શરદ પવારે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમની આ ભવિષ્યવાણીએ પોતાની પાર્ટી એનસીપી શરદચંદ્ર પવારની કોંગ્રેસમાં વિલયના સંકેત પણ શરદ પવારે જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણી બાદ અનેક ક્ષેત્રિય દળો કોંગ્રેસની નજીક આવશે.
આ ઉપરાંત કેટલાક દળો કોંગ્રેસમાં વિલય પણ કરી શકે છે. જયારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે શું આ વાત તેમની પાર્ટી અને એનસીપી શરદચંદ્ર પવારને પણ લાગુ પડે છે.
ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને મારી પાર્ટીમાં કોઈ અંતર મને નથી દેખાતું. વૈચારિક રીતે અમે અમને ગાંધી અને નહેરૂની લાઈનના જ માનીએ છીએ. હું હાલ તો કંઈ ન કરી શકું. સાથીઓ સાથે વાત કર્યા વિના કંઈ ન કહેવું જોઈએ. વૈચારિક રીતે અમે કોંગ્રેસની નજીક છીએ. આગળની રણનીતિ કે નિર્ણય સામૂહિક રીતે જ લેવાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy