નવી દિલ્હી,તા.16
આ વર્ષના પ્રજાસતાક દિન પર્વની પુર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી. પદ્મ પુરસ્કારોના વિતરણને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં દર એપ્રિલે સમારોહ આયોજીત થનાર છે. રિપોર્ટ અનુસાર હાલ લોકસભા ચુંટણીને લઈને આદર્શ આચારસંહિતા લાગુ કરવાના કારણે દેશના ચુંટણી પંચને આ સમારોહની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચુંટણીને 19મી એપ્રિલે પહેલા ચરણનું મતદાન થનાર છે. રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી અને અન્ય કેબીનેટ સભ્યો દિવસભર ચાલનારા આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને આગામી સપ્તાહે યોજાનાર આ કાર્યક્રમની જાણ કરવામાં આવી છે.
આદર્શ આચાર સંહિતાઓને ધ્યાનમાં લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે પુરસ્કાર અગાઉથી જ ઘોષિત થઈ ગયા છે એટલે કોઈ નિયમનો ભંગ થતો નથી. જો કે આ વર્ષે આમ ચૂંટણીઓના કારણે કાર્યક્રમમાં મોડું થયું છે. આ વખતે પદ્મ પુરસ્કાર જીતનારાઓમાં કુલ 132 જાણીતી હસ્તીઓ સામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy