♦ એલોપથી દવા મુદે ઈન્ડીયન મેડીકલ એસો.ને પણ આકરી ટકોર: તમારા તબીબો પણ બ્રાન્ડ પ્રમોશન કરે છે
નવી દિલ્હી: યોગગુરૂ બાબા રામદેવ તથા પતંજલીના એમડી આચાર્ય બાલક્રિષ્ના પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટની ફટકાર પડી છે. અગાઉ સુપ્રીમના આદેશ મુજબ યોગગુરૂએ પતંજલીની ભ્રામક જાહેરાતો મુદે સુપ્રીમકોર્ટના આદેશ મુજબ જાહેરમાં પ્રિન્ટ મીડીયા મારફત માંગેલી માફીની સાઈઝથી અસંતોષ અનુભવતા સર્વોચ્ચ અદાલતે અગાઉ ભ્રામક જાહેરાતો જે સાઈઝની આપી હતી.
તે જ સાઈઝની જાહેરાતની માફી માંગવા આદેશ આપીને બે દિવસમાં તેનો રેકોર્ડ સુપ્રીમકોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. હવે તા.30 એપ્રિલે બાબા રામદેવે ફરી સુપ્રીમકોર્ટમાં હાજર રહેવું પડશે.
સુપ્રીમકોર્ટમાં માહિતી આપવામાં આવી હતી કે દેશના 67 અખબારોમાં માફી નામા પ્રસિદ્ધ થયા છે પણ ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે સીધો પ્રશ્ર્ન પૂછયો કે શું તમોએ જે ભ્રામક એડ. આપી હતી તે જ સાઈઝમાં માફીનામાની એડ. આપી છે.
આ તકે બાબા રામદેવના ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ જણાવ્યું કે સોમવારે 67 અખબારોમાં જાહેરાત આપી છે અને તેનો લગભગ 10 લાખ અખબારી નકલોમાં આ જાહેરાત છપાઈ છે. આ તકે ખંડપીઠે જે સાઈઝમાં ભ્રામક એડ હતી તેજ સાઈઝમાં તેમની બિનશરતી માફીની એડ આપવાની શરત મુકી હતી પછી હવે બે દિવસમાં તેની એડનો રેકોર્ડ રજુ કરવા આદેશ આપ્યો હતો અને તાકીદ કરી હતી કે હજુ પણ તમોને કોઈ રાહત મળવાની નથી
આજે સુનાવણી સમયે બાબા રામદેવ તથા આચાર્ય બાલક્રિષ્ના બન્ને મોજૂદ રહ્યા હતા. પતંજલીની કુલ ત્રણ જાહેરાતો માટે ઈન્ડીયન મેડીકલ એસો.એ વિરોધ દર્શાવીને સુપ્રીમમાં પીટીશન દાખલ કરી હતી અને એલોપેથી પર બિનજરૂરી દવાઓ જે મોંઘી પણ છે તે દર્દીઓને ફરજીયાત લેવી પડે છે તેવા આક્ષેપ કર્યા છે.
જો કે આ તકે સુપ્રીમ કોર્ટે ઈન્ડીયન મેડીકલ એસો. પર પણ ફેરફાર કરતા કહ્યું કે તમો પતંજી પર આંગળી ઉઠાવો છો તો ચાર આંગળી તમારા તરફ પણ ઉઠે છે. તમારા તબીબો પણ અનેક ચોકકસ બ્રાન્ડનું સમર્થન કરે છે. જો આવું થતું રહ્યું તો અમો શા માટે તમારા પણ પ્રશ્ન ઉઠાવીએ નહી!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy