રાજકોટ તા.15
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રાજયના ખેડુતો માટે આઈ ખેડુત પોર્ટલનો વર્ષ 2024-25 માટે પ્રારંભ કરવાના રાજય સરકારના નિર્ણયને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા.
રાજયના ખેડુતો માટે શરૂ થવા જઈ રહેલ આઈ ખેડુત પોર્ટલ વિશે જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના સુશાસન દ્વારા સર્વ વ્યાપક વિકાસ થયો છે. રાજયની ભાજપ સરકાર અંત્યોદયની ભાવના અને જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે.
તેમજ ખેડૂતોનું કલ્યાણ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આગામી તા.18 જુનના 2024 સવારે 10-30થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે.
આ તકે ખેડુતોને પાણીના ટાંકામાં 50 ટકા અથવા 9.80 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે તેમજ સ્માર્ટ ફોનમાં કિંમતના 40 ટકા અથવા રૂા.6000 બેમાંથી જે ઓછું હોય તે અને પાક સંગ્રહ સ્ટ્રકચરમાં ખર્ચના 50 ટકા અથવા રૂા.75000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. આમ પ્રવિણાબેન રંગાણીએ સરકારના નિર્ણયને આવકારી શુભકામના પાઠવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy