♦ ભાજપે પુનમ મહાજનની ટિકીટ કાપી અને ઉજજવલ નિકમને મુંબઈની ઉતર મધ્યમાં ઉમેદવાર બનાવ્યા: કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડશે: કોંગ્રેસના ઉમેદવાર સામે ટકકર
મુંબઈ,તા.2
લોકસભા ચૂંટણીમાં દેશના મેટ્રો સીટીમાં પણ જે જંગ લડાવાનો છે તેમાં મુંબઈમાં તમામ છ લોકસભા બેઠક પર ઉમેદવારો નિશ્ર્ચિત થઈ જતા અર્ધા મુંબઈમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) અને એકનાથ શિંદે (શિવસેના) વચ્ચે ટકકર થશે. મહાનગરની ત્રણ બેઠકો પર આ બંને શિવસેનાના જૂથો જ ટકરાશે. જયારે બે બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ટકકર થશે.
જયારે એક બેઠક પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપની ટકકર થશે. રાજયમાં ચુંટણી સમજુતી મુજબ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી થઈ ગઈ છે અને પાંચમા તબકકાના તા.20 મે ના રોજ જે મતદાન યોજાશે તેમાં ઉદ્ધવ ઠાકરે જૂથને મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ ઉતર પશ્ચિમ તેમજ મુંબઈ ઉતર પુર્વ એમ ચાર બેઠકો લડવા મળી છે.
જેમાં ત્રણ બેઠકો પર તેનો જુના સાથી અને જેને સુપ્રીમકોર્ટે પણ મુખ્ય શિવસેના તરીકે માન્યતા આપી છે તે શિંદે જૂથ સાથે થશે. મુંબઈ દક્ષિણમાં ઉદ્ધવ ઠાકરેના પક્ષના વર્તમાન સાંસદ અરવિંદ સાવંતનો મુકાબલો શિંદે જૂથના યામીની જાદવ સામે થશે.
યામીનીએ હાલ ભાયખલ્લા વિસ્તારના ધારાસભ્ય છે તો મુંબઈ દક્ષિણ મધ્યમાં ઉતર ઠાકરેના યુબીટીના નેતા અનિલ દેસાઈનો મુકાબલો શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના રાહુલ શેવાલે સાથે થશે જે હાલ આ બેઠકના સાંસદ છે જયારે મુંબઈ ઉતર પશ્ર્ચિમમાં ઉદ્ધવ ઠાકરે જૂથના અમોલ કિર્તીકર અને શિંદે જૂથના રવિન્દ્ર વાયકર વચ્ચે થશે. તેઓ હાલ જોગેશ્ર્વરીના ધારાસભ્ય છે.
તો હાલમાં જ ભાજપમાં ભળેલા ખ્યાતનામ ધારાશાસ્ત્રી ઉજજવલ નિકમ સામે કોંગ્રેસના વર્ષા ગાયકવાડ મુંબઈ ઉતર મધ્યમાં ટકરાશે. ભાજપે અહીથી સીટીંગ સાંસદ પુનમ મહાજનની ટિકીટ કાપી હતી અને ઉજજવલ નિકમને ઉમેદવાર બનાવ્યા છે જયારે કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલનો મુંબઈ ઉતરમાં કોંગ્રેસના ભૂષણ પાટીલ સાથે મુકાબલો થશે. ગોયેલ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
આમ મુંબઈમાં હવે શિવસેના વિરુદ્ધ શિવસેનાનો જંગ નિશ્ચિત થઈ ગયો છે. મુંબઈ ઉતર પુર્વમાં ભાજપે એક ગુજરાતી મિહીર કોટેચાને ટિકીટ આપી છે તેઓ મુલુંડ વિસ્તારના ધારાસભ્ય છે અને તેમની ટકકર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય દીના પાટીલ સાથે થશે.
પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના ઉમેદવારને મત આપશે
મહારાષ્ટ્રનું રાજકારણ રસપ્રદ બની ગયું છે. શિવસેના અને એનસીપી બંનેના બે જૂથો સામસામા છે અને જેમ ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ શિંદેની ટકકર છે તો શરદ પવાર અને અજીત પવારની પણ ટકકર છે તેમાં હવે પ્રથમ વખત શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેના પરિવારમાંથી કોંગ્રેસને મત જશે. જેમાં ઉદ્ધવ ઠાકરે જે વિસ્તારમાં રહે છે તે ઉતર મધ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે અને ઠાકરે પરિવાર કોંગ્રેસને મત આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy