રાજકોટ, તા.29
લોધિકા તાલુકાના રાવકીમાં જાળા ઉલટી થયા બાદ 30 વર્ષીય શ્રમિક દિનેશ રામે સારવારમાં દમ તોડી દીધો હતો. મૃતક મૂળ બિહારનો વતની, રાવકી પાસે સાગર ફાઉન્ડ્રિ નામના કારખાનામાં રહેતો હતો. બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ, દિનેશ ચંચલ રામ (ઉ.વ.30, રહે. સાગર ફાઉન્ડ્રિ, રાવકી ગામ, તા.લોધિકા) ગઈકાલે સવારે 9 વાગ્યે પોતાના કારખાનાની ઓરડીમાં હતો. ત્યારે બેભાન થઈ જતા તત્કાલ પ્રથમ લોધિકાની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
તેની સાથેના આવેલા પરિવારજનો અને સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, દિનેશને ત્રણેક દિવસથી જાળા ઉલટી થયા હતા. ગઈકાલે તબિયત ખૂબ બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ટૂંકી સારવારમાં જ તેનું મોત થયું હતું. દિનેશ મૂળ બિહારનો વતની હતો. અહીં મજૂરી કામ કરતો, 1 ભાઈ, 1 બહેનમાં મોટો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. લોધિકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. તબીબોએ
મૃત્યુનું કારણ જાણવા પ્રયત્નો હાથ ધર્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy