♦ લાંબા સમય બાદ ચૂંટણી પંચના આદેશથી આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી:સુરત શહેરને અઢી મહિને નવા કમિશ્નર મળ્યા: અમદાવાદ સુરત અને બોર્ડર રેન્જને નવા અધિકારીઓ મળ્યા
અમદાવાદ:
લાંબા સમયથી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીની રાહ જોવાઈ રહી છે. ત્યારે જ ચૂંટણી પંચ રવિવારે 35 અધિકારીઓની બદલી અને બઢતીની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સહીત ચાર અધિકારીને ડીજીપી તરીકે પ્રમોશન અપાયા હતા.
અભય ચુડાસમા સહીત પાંચ અધિકારીઓ એડીશ્નલ ડીજીપી તરીકે 10 અધિકારીઓ આઈજીપીના અને 7 અધિકારીઓ ડીઆઈજી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા હતા.લગભગ અઢી મહિને સુરતને નવા પોલીસ કમીશ્નર તરીકે ગેહલોત મળ્યા છે.અને વડોદરાનાં નવા કમીશ્નર તરીકે નરસિમ્હા કોમરની જાહેરાત કરવામાં આવી છે.
સુરત રેન્જ આઈજીપી તરીકે પ્રેમવીરસિંઘ, અમદાવાદ રેન્જ તરીકે જે.આર.મોથલીયા અને બોર્ડર રેન્જનાં આઈજીપી તરીકે ચિરાગ કોરડીયાની જાહેરાત કરવામાં આવી. મહત્વના જીલ્લામાં પોલીસ અધિક્ષકની જગ્યાઓ ખાલી હતી.
તેમાં અમદાવાદ એસ.પી તરીકે એટીએસનાં ઓમ પ્રકાશ જાટ, મહેસાણાનાં એસપી તરીકે અમદાવાદથી તરૂણ દુગ્ગલની અને આણંદ એસ.પી.તરીકે લાંબા સમય સુધી પોલીસ ભવનમાં સેવા આપનાર ગૌરવ જસાણીની બદલીઓ કરવામાં આવી છે.જોકે હજુ સુધી ઘણા અધિકારી પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે.જેને પગલે આગામી દિવસોમાં વધુ એક વખત બદલીઓ આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy