ગાંધીધામ ઓસ્લોબ્રીજ પરનો લાઈટ પોલ ઉદ્ઘાટન પૂર્વેજ ધરાશાયી થયો

Local | Kutch | 24 May, 2024 | 12:18 PM
સાંજ સમાચાર

ભચાઉ,તા.24
છેલ્લા લાંબા સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈને ત્રાસેલા ઓસ્લોના  બ્રીજ પર લગાવવામાં આવેલ વીજ પોલ બુધવારે સવારે કોઈ જ દેખીતા કારણ વગર મજબુતાના વચનની જેમ ધરાશાયી થઈ જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ટ્રાફિક ઓછો હોવાથી કોઈ આકસ્મીક બનાવ બન્યો નહોતો પણ અન્ય પોલ પણ જો આ જ રીતના લગાવવામાં આવ્યા હોય તો અકસ્માત આ ધમધમતા રોડ પર ગમે ત્યારે ઘટીત થઈ શકે છે એ સંભાવના જોતાં શહેરભરમાં ચકચાર સર્જાઈ હતી. હજુ તો બ્રીજની  શરૂઆતનો સમય પણ નક્કી કરાયો નથી ત્યાં જ આ રીતે જો બ્રીજના કાંગરા ખરવા માંડે તો તે કેટલો મજબુત હશે તે કલ્પનાતીત બાબત છે. સુત્રોનું માનીએ તો ચૂંટણી બાદ આ બ્રીજનું ઉદ્ઘાટન ગોઠવાય તેવું આયોજન હતું એટલે તે દિવસથી લોકો બસ ખાલી રાહ જ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય છે?
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj