અવલોકન : તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેના કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ટકોર

ક્રાઉડફંડિંગનું યોગ્ય રીતે નિયમન ન થાય તો અરાજકતા પેદા થઈ શકે: હાઈકોર્ટ

Gujarat | Ahmedabad | 18 April, 2024 | 11:45 AM
ભારતમાં ક્રાઉડફંડિંગ માટેનો કોઈ કાયદો છે? જસ્ટિસ સુથારનો સવાલ
સાંજ સમાચાર

અમદાવાદ : 
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સાકેત ગોખલે દ્વારા 2022માં ક્રાઉડફંડિંગ દ્વારા ઊભા કરાયેલા નાણાંનો દુરૂપયોગ કરવાને મામલે થયેલા ફોજદારી કેસની સામે ગોખલેએ હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટની સુનાવણી દરમિયાન જસ્ટિસ એચ.ડી.સુથારે એવી ટકોર કરી હતી કે, ‘ક્રાઉડફંડિંગનું યોગ્ય રીતે નિયમન ન થાય તો અરાજકતા પેદા થઈ શકે છે.’ એ ઉપરાંત હાઈકોર્ટે અરજદારને એવો સવાલ પણ કર્યો હતો કે, ‘ક્રાઉડફંડિંગ માટે ભારતમાં કોઈ ચોક્કસ કાયદો છે? આ કેસની વધુ સુનાવણી પહેલી મેના રોજ મુકરર કરવામાં આવી છે.

ગોખલેએ તેમની સામેનો કેસને રદ કરવાની અરજી હાઈકોર્ટ સમક્ષ કરી છે. જેમાં જસ્ટિસ સુથારે ટકોર કરી હતી કે, ’ભારતમાં ક્રાઉડફંડિંગનો ક્ધસેપ્ટ અત્યંત નવો છે, ત્યારે શું ભારતમાં તેના માટે કોઈ નિયમન અથવા કાનૂની માન્યતા છે. શું ભારતમાં ક્રાઉડફંડિંગ માટે કોઈ ચોક્કસ નિયમ છે? ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.’

અરજદાર સાકેત ગોખલે દ્વારા 2022 માં અમદાવાદ પોલીસના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગોખલેએ ક્રાઉડફંડિંગ અને રોકડ ટ્રાન્સફર દ્વારા એકત્ર કરેલા આશરે રૂ 1.07 કરોડનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગોખલેને અગાઉ એપ્રિલ 2023માં આ કેસના સંબંધમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જોકે, હાઇકોર્ટ સમક્ષના કેસમાં ગોખલે તરફથી એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, અરજદારે નાણાંકીય ભંડોળ એકત્ર કરવામાં કોઈ છેતરપિંડી કરી નથી. તેમણે ત્રણ ઓનલાઈન ઝુંબેશ ચલાવી હતી અને તેને ટકાવી રાખવા માટે દાન માગ્યું હતું.

એટલું જ નહીં, આ તમામ ઝુંબેશ ફોજદારી કેસની નોંધણીના પાંચ મહિના પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ફરિયાદીએ પોતે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમણે કેટલીક રકમ ’દાન’ કરી છે. તે સિવાય જે રૂપિયા પ્રાપ્ત થયા છે એ તમામ નાણાં સ્વૈચ્છિક દાન દ્વારા હતા.’

સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ‘અરજદાર ગોખલેએ ક્રાઉડફંડિંગ દ્વારા આશરે 76 લાખ રૂપિયા ભેગા કર્યા હતા જ્યારે આ રકમનો નજીવો હિસ્સો જ તેણે પોતાના આશય માટે ઉપયોગ કર્યો હતો અને બાકીના રૂપિયાનો દુરૂપયોગ કર્યો હતો. રૂ. 76 લાખમાંથી તેમણે માહિતી અધિકાર(RTI) હેઠળ કેટલીક માહિતી મેળવવા માટે માત્ર રૂ. 282 જ ખર્ચ્યા હતા. તો શું આ છેતરપિંડી નથી? રેકોર્ડ મુજબ, આમાંથી મોટા ભાગના પૈસા શેરમાં રોકાણ કરવામાં અને એર ટિકિટ ખરીદવામાં ખર્ચાયા હતા.’

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj